SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય વિવેચનમાં નવલરામભાઈ કહે છે કેઃ “સંસ્કૃત ઢ૫ના અક્ષર તે આપણા સમૂહને એક અજાણ્યા જ છે અને તે ગૂજરાતી ભાષાને અનુકૂળ પણ નથી.”૫ મેઘદૂત કાવ્યની પ્રસ્તાવનામાં વધારે વિસ્તારપૂર્વક કહે છે: “અક્ષર છદો (સંસ્કૃત વૃત્તિ)માં પ્રૌઢી આવે છે ખરી, પણ ગુજરાતીમાં તે કિલષ્ટ થઈ જાય છે એ સૌને જાણીતું જ છે. અક્ષરદેશમાં બીજે દોષ એ છે કે ગુજરાતમાં શાસ્ત્રીઓ સિવાય (જેમને ગુજરાતી પદ્ય વાંચવાને જ અભાવ છે.) જૂના લેકે બિલકુલ એથી અજાણ્યા છે, અને નવામાંના થોડા જ બરાબર વાંચી શકે છે.' પિંગલકાર દલપતરામને પણ પૃથ્વીન્દ્રના બંધારણ વિશે ગેરસમજણ હતી તે જાણીતું છે. ' એટલે પદ્યની દષ્ટિએ સંસ્કૃત વૃત્તોને બહોળો ઉપયોગ અને તેને પરિણામે એ તો વાપરવાની પહેલી નવી પરંપરાને આ અર્વાચીન કાવ્યનું હું એક મહત્ત્વનું લક્ષણ ગણું છું. કદાચ તેની શરૂઆત પિંગલના જ્ઞાન અને વૈવિધ્યની ખાતર તેનો પ્રયોગ કરવાની હાંસથી થઈ પણ પછી તરત જ તે પ્રયોગની સફળતાથી અને વિશેષ કરીને તે સંસ્કૃત વાડમયના નવી દૃષ્ટિના.અભ્યાસથી એ પ્રણાલિકાને ઘણું બળ મળ્યું. દલપતરામભાઈના લાંબા કવનકાળથી કવિતા વાંચનાર અને કવિતા કરનાર બન્ને વર્ગને આ છોનો એટલે અભ્યાસ થઈ ગયું કે અત્યારે સંસ્કૃત વૃત્તોને યોગ્ય રીતે પાઠ ન કરી શકે તે એટલા પૂરતો બનકેળવાયેલો જ ગણાય અને કવિતાલેખકોને પણ સંસ્કૃત વૃત્ત હવે તદ્દન સાધ્ય થઈ ગયાં છે તે આપણે હવે પછી આવવાના દાખલામાં જોઈશું. આને જ લાગતું પદ્યરચનાનું બીજું વલણ તે નવા ઇન્દો યોજવાનું, છન્દોની વૈચિત્ર્યમય રચના કરવાનું અને છન્દોનાં મિશ્રણ કરવાનું. આ વલણ હિંદના સાહિત્યના ઇતિહાસમાં કદી નહોતું એમ તો ન જ કહેવાય. પિંગલને સૂક્ષ્મ રીતે અભ્યાસ કરતાં ૫. નવલગ્રંથાવલિ શા. આ. ભા. ૨, પૃ. ૨૪ ૬. સદર ૫. ૨
SR No.032049
Book TitleArvachin Gujarati Kavya Sahitya
Original Sutra AuthorN/A
AuthorRamnarayan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy