SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પરચના છે પરંપરાથી રૂઢિથી અને તેના પાઠકના પૂજ્યભાવથી અમુક પ્રલંબિત ધ્વનિથી પઢાય છે, પણ એ પઠનપદ્ધતિ અત્યારે આપણે ગઇ તે શું પણ પદ્યને પણ અનુકૂળ ન ગણીએ. વેદના મંત્રો ઉદાત્ત અનુદાત્ત સ્વરિતના ભેદથી ઉચ્ચારાતા જેની ખરી પરંપરા અત્યારે હશે કે કેમ તે જાણવામાં નથી. વળી એ મંત્રે પણ ગવાતા, અને અત્યારની આપણી સળંગ પદ્યરચનાઓ બધી જ અગેય છે, અગેયતા એ એનો પહેલો દાવો છે, અને ગમે તે કહીએ તો પણ વેદની પદ્યરચનાઓ પણ નિયમિત અક્ષર સંખ્યાવાળી તો છે જ. તેની સાથે સરખાવાય તે વનવેલી સરખાવાય, આ અપદ્યાગદ્ય રચના નહિ જ. આ સંબંધમાં કવિશ્રીને પિતાનું એક વાક્ય વિચારવા જેવું છે. તેઓ કહે છે કે ૧૮૯૮ ના માર્ચમાં ડોલન શેલી જન્મી. આજે ૧૯૨૭ માં, ત્રીસ ત્રીસ વર્ષની સાફલ્યસિદ્ધિને અને હું ઉચ્ચારું છું કે ડોલન શેલી એટલે વીસમી સદીની પહેલી પચ્ચિસીની ગુર્જર સાહિત્યની હાર ને છત. એ મહાન્દ નથી, એટલી એની હાર છે; ચેમપુરીચા અનર્થ ચુના એણે છે જવ નાહીં જ્ઞાન પ્રાપ્તી માં તવ ચુકે ના યાતાયાતી માં ગુરુકૃપે વિણ અધોગતી ! ગર્ભવાસ ચુકે ના ! થાન ધારણા મુદ્રા આસન ભક્તી ભાવ આણિ ભજન ! સકળ હિ ફેલ બ્રહ્મજ્ઞાન જવ તે પ્રાપ્ત નાહી છે સદ્ગુરૂ દવા ન જોડે આણી ભલતી ચકડે વાવડે જેસે આંધળે ચાચરેન પડે ગારી આણું ગડધમાં જૈસે નેત્રી ઘાલિતાં અંજના પડે દષ્ટીસ નિધાન તેઓં સદ્ગુરુ વચને જ્ઞાન પ્રકાશ હોય છે સ્વામી રામદાસનું દાસબોધ ૫-૧-૩૭ થી ૩૮ આમાં લઘુ ગુરુ માત્રા સંખ્યા કશાને મેળ નથી. માત્ર અંજનીની પેઠે ત્રણ ચરણમાં પ્રાસ રાખી ચોથું ચરણે પ્રાસ વિનાનું રાખવું એટલે જ નિયમ છે. ગુજરાતી કાવ્યમાં માત્ર એક કવિ નર્મદાશંકરે જ આને અખતરો કર્યો છે. જુઓ નર્મગધ આ. કે. પૃ. ૭૬૭.
SR No.032049
Book TitleArvachin Gujarati Kavya Sahitya
Original Sutra AuthorN/A
AuthorRamnarayan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy