SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ દૂધ, દહિં, છાશનો કાળ. જો કાચા (ઉકાળ્યા વગરના) ગોરસ (દૂધ, દહિ, છાશ)માં મગ, અડદ, ચોળા, વટાણા, વાલ, વિગેરે દ્વિદલ પડે તો તત્કાળ તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે અને દહિં તો બે દિવસ ઉપરાંતનું થયું કે તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. આ ગાથામાં “વિવરિ (બે દિવસ ઉપરાંત) ને બદલે “ત્તિવિવર (ત્રણ દિવસ ઉપરાંત) એવો પાઠ ક્વચિત છે. પણ તે ઠીક નથી તેમ જણાય છે; કારણ કે ‘રધ્યકિંથાતીતિ એવું શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યનું વચન છે. દ્વિદળ કોને કહેવાય. જે ધાન્યને પીલવાથી તેલ ન નીકળે અને સરખા બે ફાડચાં થઈ જાય તેને દ્વિદળ કહે છે. બે ફાડચાં થતાં હોય પણ જેમાંથી ચીકણો રસ (તેલ) નીકળે તે દ્વિદળ ન કહેવાય. અભક્ષ્ય પદાર્થો. દ્વિદળ, નરમ પુરી વિગેરે, એકલા પાણીથી રાંધેલો ભાત વિગેરે, વાસી અન્ન, બીજાં સર્વ જાતિનાં કોહેલાં અન્ન, જેમાં ફુગ વળી ગઈ હોય તેવાં ઓદન, પકવાન્નાદિ, બાવીસ અભક્ષ્ય, , બત્રીસ અનંતકાય એ સર્વનું સ્વરૂપ અમારી કરેલી વંદિતા સૂત્રની વૃત્તિથી જાણવું. વિવેકવંત પ્રાણીએ જેમ અભક્ષ્ય વર્જવા તેમજ ઘણા જીવથી વ્યાપેલાં બહુબીજવાળાં વેંગણ, કાય, માટી, ટીંબરૂં, જાંબુ, લીલાં પીલું, પાકા કરમદા, બિલીફલ, ગુંદા, પીચ મહુડાં, આંબા વિગેરેના મહોર, શેકેલા ઓળા, મોટાં બોર, કાચા કોઠીંબડાં, ખસખસ, તલ, સચિત્ત લુણ પણ વર્જન કરવાં. તેમજ લાલ વિગેરે હોવાથી જેના ઉપર બરાબર તેજ નથી એવા પાકાં ગોલા, પાકાં કંકોડાં, ફણસ ફળ, વળી જે દેશમાં જે જે વિરુદ્ધ કહેવાતાં હોય, કડવાં તુંબડાં, કોહલાં, વિગેરે પણ તે દેશમાં વર્જવા. તે દેશમાં ન વર્ષે તો ફોગટ જૈનધર્મની નિંદા થાય અને અનંતકાય તો પારકે ઘેર રંધાઈ અચિત્ત થયા હોય તો પણ નિઃશૂકતાના પ્રસંગની અથવા ખાનારા લોકોની વૃદ્ધિ થવાના ભયથી ન જ ગ્રહણ કરવાં. જૈનધર્મની નિંદા ન થવા દેવા માટે રાંધેલું સુરણ, આદુ, વેંગણ વિગેરે જો કે અચિત્ત થયાં હોય અને પોતાને પચ્ચખાણ ન હોય, તો પણ વર્જન જ કરવાં અને વળી મૂળો તો પંચાંગથી તજવા યોગ્ય છે, સુંઠ, હળદર તો નામ સ્વાદના બદલવાથી સુકાયા પછી કલ્પે છે. કયું પાણી અચિત્ત કે મિશ્ર કહેવાય ? ઊનું પાણી ત્રણ વાર ઊકાળા ન આવે ત્યાં સુધી તો મિશ્ર ગણાય છે એટલા માટે પિંડનિર્યુક્તિમાં કહેલ છે કે - જ્યાં સુધી ત્રણ વાર ઊકાળા આવ્યા ન હોય, ત્યાં સુધીનું ઊનું પાણી પણ મિશ્ર ગણાય છે (ત્યાર પછી અચિત્ત ગણાય). જ્યાં ઘણા માણસોની આવ-જાવ થયા કરતી હોય, એવી ભૂમિ
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy