SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ પરિશિષ્ટ . पणव-हरिया-रिहा ईहमंतह बीआणिसप्पहावाणि । सव्वेसिं तेसिं मूलो, इक्को नवकारवरमतो ॥१२॥ પ્રણવ એટલે ઓકાર, માયા એટલે હકાર અને અઈ વગેરે પ્રભાવશાળી મંત્ર બીજો છે, તે સર્વનું મૂળ એક પ્રવર નવકારમંત્ર છે. અર્થાત્ ૐ હ્રીં અહં વગેરે મંત્રબીજોના મૂળમાં પણ શ્રી નવકારમંત્ર રહેલો છે. ताव न जायइ चित्तेण, चिंतियं पत्थिअं च वायाए । काएण समाढतं, जाव न सरिओ नमुक्कारो ॥१३॥ ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારને સ્મરવામાં આવ્યો નથી. ____ भोअणसमए सयणे, विबोहणे पवेसणे भओ वसणे । __पंचनमुक्कारं खलु, समरिज्जा सव्वकालम्मि ॥१४॥ ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય વખતે, કષ્ટ વખતે, એમ સર્વ સમયે ખરેખર પંચનમસ્કારને સ્મરવો જોઈએ. ज किंचि परमतत्तं, परमपयकारणं च जं किंचि । तत्थ वि सो नवकारो, झाइज्जइ परमजोगिहिं ॥१५॥ જે કાંઈ પરમતત્ત્વ છે અને જે કાંઈ પરમપદનું કારણ છે, તેમાં પણ તે નવકાર જ પરમયોગિઓ વડે વિચારાય છે. एनमेव महामंत्र, समाराध्येह योगिनः । त्रिलोक्यापि महीयन्तेऽधिगताः परमां श्रियम् ॥१६॥ યોગી પુરુષો આ જ નવકારમંત્રનું સમ્યગુ રીતિએ આરાધના કરીને પરમલક્ષ્મીને પામી ત્રણે લોક વડે પૂજાય છે. कृत्वा पापसहस्राणि, हत्वा जन्तुशतानि च । अमुं मन्त्रंसमाराध्य, तिर्यंचोपि दिवं गताः ॥१७॥ હજારો પાપોને કરનારા તથા સેંકડો જંતુઓને હણનારા તિર્યંચો પણ આ મંત્રની સારી રીતિએ આરાધના કરીને સ્વર્ગને પામ્યા છે. अहो पंचनमस्कारः, कोप्युदारो जगत्सु यः । संपदोऽष्टौ स्वयं धत्ते, दत्तऽनन्तास्तु ता:सताम् ॥१८॥ અહો ! આ જગતમાં પંચ નમસ્કારનું કોઈ વિશિષ્ટ ઉદારપણું છે કે જે પોતે આઠ જ સંપદાને ધારણ કરે છે છતાં પુરુષોને તે અનંત સંપદાને આપે છે. त्वं मे माता पिता नेता, देवो धर्मो गुरु परः । प्राणा:स्वर्गोऽपवर्गश्च, सत्त्वं तत्त्वं मतिर्गतिः ॥१९॥
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy