SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ સાધર્મિકવાત્સલ્ય. ૨૮૧ મુશ્કેલીમાં આવી પડે તો પોતાનું ધન ખરચીને તેમને આફતમાંથી ઉગારવા. પૂર્વ કર્મના અંતરાયના દોષથી કોઈનું ધન જતું રહે તો તેને પાછો પૂર્વની અવસ્થામાં લાવવો. જે પોતાના સાધર્મિક ભાઈઓને પૈસે ટકે સુખી ન કરે તે પુરુષની મોટાઈ શા કામની ? કેમકે જેમણે દીન જીવોનો ઉદ્ધાર ન કર્યો, સાધર્મિકોનું વાત્સલ્ય ન કર્યું અને હૃદયમાં વીતરાગનું ધ્યાન ન ધર્યું તેમણે પોતાનો જન્મ વૃથા ગુમાવ્યો. ન પોતાના સાધર્મિક ભાઈઓ જો ધર્મથી ભ્રષ્ટ થયા હોય તો ગમે તે રીતે તેમને ધર્મમાં દેઢ કરવા. જો તેઓ ધર્મકાર્ય કરવામાં પ્રમાદ કરતા હોય તો તેમને યાદ કરાવવું અને અનાચારથી નિવારવા પ્રયત્ન કરવો. પ્રમાદ કરે તો યાદ કરાવી, અનાચાર્રમાં પ્રવૃત્ત થાય તો નિવારવા, ભૂલે તો પ્રેરણા કરવી અને વારંવાર ચૂકે તો વખતોવખત પ્રેરણા કરવી. તેમજ પોતાના સાધર્મિકોને વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા વગેરેમાં જોગ મળે તેમ જોડવા અને શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાન વિગેરેમાં જોડવા તથા સાધારણ ખાતાની પૌષધશાળા વગેરે કરાવવી. શ્રાવિકાઓનું સાધર્મિકવાત્સલ્ય અને સ્ત્રીઓની ઊંચ-નીચતા. શ્રાવિકાઓનું વાત્સલ્ય પણ શ્રાવકની માફક કરવું. કાંઈ પણ ઓછું વધતું ન કરવું, કેમકે જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારી, ઉત્કૃષ્ટ શીલને પાળનારી તથા સંતોષવાળી એવી શ્રાવિકાઓ જૈનધર્મ પ્રત્યે મનમાં અનુરાગવાળી હોય છે માટે તેમને સાધર્મિકપણે માનવી. પ્રશ્ન :- લોકમાં તથા શાસ્ત્રમાં સ્ત્રીઓ ઘણી પાપી કહેવાય છે. તેઓ તો ભૂમિ વિનાની ઝેરી કેળનું ઝાડ, મેઘ વિનાની વીજળી, જેના ઉપર ઔષધ ચાલતું નથી એવું કારણ વિનાનું મૃત્યુ, નિમિત્ત વિનાનો ઉત્પાત, ફણા વિનાની સર્પિણી અને ગુફા વિનાની વાઘણ, એમને તો પ્રત્યક્ષ રાક્ષસી સમાન જ ગણવી. ગુરુ ઉપરનો તથા ભાઈ ઉપરનો સ્નેહ તૂટવાનું કારણ એઓ જ છે. કેમકે અસત્ય વચન સાહસિકપણું, કપટ, મૂર્ખતા, અતિલોભ, અશુચિપણું અને નિર્દયપણું એટલા સ્ત્રીઓના દોષ સ્વાભાવિક છે. કેમકે “હે ગૌતમ ! જ્યારે અનંતી પાપની રાશિઓ ઉદયમાં આવે ત્યારે સ્ત્રીપણું પમાય છે એમ તું સમ્યક્ પ્રકારે જાણ” આ રીતે સર્વે શાસ્ત્રોમાં સ્ત્રીઓની નિંદા પગલેપગલે જોવામાં આવે છે માટે તેઓથી દૂર રહેવું. એમ છતાં તેમનું દાન સન્માનરૂપ વાત્સલ્ય કરવું શી રીતે ઘટે ? ઉત્તર ઃ- “સ્ત્રીઓ જ પાપી હોય છે'' એવો એકાંત પક્ષ નથી. જેમ સ્ત્રીઓમાં તેમ પુરુષોમાં પણ પાપીપણું સરખું જ છે. કેમકે પુરુષો પણ ક્રૂર મનવાળા, ઘણા દુષ્ટ, નાસ્તિક, કૃતઘ્ન પોતાના શેઠની સાથે દુશ્મનાવટ કરનારા, વિશ્વાસઘાતી, જૂઠું બોલનારા, પારકું ધન તથા પારકી સ્ત્રી હરણ કરનારા, નિર્દય તથા ગુરુને પણ ઠગનારા એવા ઘણા જોવામાં આવે છે. પુરુષ જાતિમાં કેટલાક એવા લોકો છે તેથી સત્પુરુષોની અવજ્ઞા કરવી જેમ ઘટિત નથી, તેમ સ્ત્રીજાતિમાં પણ કેટલીક પાપી સ્ત્રીઓ છે તેમ ઘણી ગુણવંતી સ્ત્રીઓ પણ છે. જેમ તીર્થંકરની માતાઓ ઉત્તમ ગુણવડે યુક્ત હોય છે. માટે તેમની પૂજા દેવતાના ઇન્દ્રો પણ કરે છે અને મુનિઓ પણ સ્તુતિ કરે છે. લૌકિકશાસ્ત્રના જાણ પણ કહે છે કે સ્ત્રીઓ કોઈ અદ્ભુત ગર્ભ ધારણ કરે છે કે જે ત્રણે જગત્નો ગુરુ થાય છે. માટે જ પંડિત લોકો સ્ત્રીઓની ઘણી મોટાઈ કબૂલ કરે છે. કેટલીક
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy