SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પૌષધ વ્રત ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત. ૨૬૯ કહ્યું છે તે પ્રમાણે દર માસે છ પર્વતિથિએ પૌષધ વગેરે યથાવિધિ કરતો હતો. એક વખતે ધનેશ્વરશ્રેષ્ઠિ અષ્ટમીનો પૌષધ કરેલો હોવાથી રાત્રિએ શૂન્ય ઘરમાં પ્રતિમા અંગીકાર કરીને રહ્યા ત્યારે સૌધર્મેન્દ્ર તેની ધર્મની દૃઢતાની ઘણી પ્રશંસા કરી. તે સાંભળી કોઈ મિથ્યાર્દષ્ટિ દેવતા તેની પરીક્ષા કરવા આવ્યો. પહેલાં તેણે શેઠના દોસ્તનું રૂપ પ્રકટ કરી “ક્રોડો સોનૈયાનો નિધિ છે. તમે આજ્ઞા કરો તો તે હું લઉં” એમ ઘણીવાર શેઠને વિનંતી કરી. પછી તે દેવતાએ શેઠની સ્ત્રીનું રૂપ પ્રકટ કર્યું અને આલિંગન વગેરે કરીને તેની (શેઠની) ઘણી કદર્થના કરી. તે પછી મધ્યરાત્રિ હોવા છતાં પ્રભાતકાળનો સૂર્યનો ઉદય તથા સૂર્યનાં કિરણો વિકુર્તીને તે દેવતાએ શેઠનાં સ્ત્રી, પુત્ર વગેરેનાં રૂપ પ્રકટ કરીને શેઠને પૌષધનું પારણું કરવાને માટે ઘણીવાર પ્રાર્થના કરી. એવા ઘણા અનુકૂળ ઉપસર્ગ કર્યા તો પણ સજ્ઝાય ગણવાને અનુસારે મધ્યરાત્રિ છે એમ શેઠ જાણતો હતો તેથી તિલમાત્ર પણ ભ્રમમાં પડ્યો નહીં. તે જોઈ દેવતાએ પિશાચનું રૂપ લીધું. અને ચામડી ઉખેડવી, તાડના કરવી, ઉછાળવું, શિલા ઉપર પછાડવું, સમુદ્રમાં ફેંકી દેવું, વગેરે પ્રાણાંતિક પ્રતિકૂળ ઉપસર્ગ કર્યા તો પણ શેઠ ધર્મધ્યાનથી ચલિત થયા નહીં. કહ્યું છે કે આ પૃથ્વીને દિશાઓના હસ્તી, કાચબો, કુલપર્વત અને શેષનાગ એમણે પકડી રાખી છે તો પણ છલે (કંપે) છે; પરંતુ શુદ્ધ અંતઃકરણવાળા સત્પુરુષોનું અંગીકાર કરેલું વ્રત પ્રલય થાય તો પણ ચલે નહીં. પછી દેવતાએ પ્રસન્ન થઈ ધનેશ્વર શેઠને કહ્યું, ‘હું સંતોષ પામ્યો છું, તું વાંછિત વર માગ.' તો પણ શેઠે પોતાનું ધર્મધ્યાન છોડયું નહીં. તેથી અતિશય પ્રસન્ન થયેલા દેવતાએ શેઠના ઘરમાં ક્રોડો સોનૈયાની અને રત્નોની વૃષ્ટિ કરી. મહિમા જોઈ ઘણા લોકો પર્વ પાળવા આદરવંત થયા. તેમાં પણ રાજાનો ધોબી, ઘાંચી અને એક કૌટુંબિક (ખેડૂત નોકર) એ ત્રણે જણા જો કે, રાજાની પ્રસન્નતા મેળવવા ઉપર એમને ઘણું ધ્યાન આપવું પડતું હતું, તો પણ છએ પર્વોમાં પોતપોતાનો ધંધો તેઓ બંધ રાખતા હતા. ધનેશ્વર શેઠ પણ નવા સાધર્મી જાણી તેમને પારણાને દિવસે સાથે જમાડી, પહેરમાણી આપી, જોઈએ તેટલું ધન વગેરે આપી તેમનો ઘણો આદરસત્કાર કરતો હતો. કહ્યું છે કે સુશ્રાવક સાધર્મીનું જેવું વાત્સલ્ય કરે છે તેવું વાત્સલ્ય માતા, પિતા અથવા બાંધવજનો પણ કોઈ કાળે કરી ન શકે. આ રીતે શેઠનો ઘણો સહવાસ થવાથી તે ત્રણે જણા સમ્યક્ત્વધારી થયા. કહ્યું છે કે જેમ મેરૂપર્વતે વળગી રહેલું તૃણ પણ સુવર્ણ બની જાય છે તેમ સત્પુરુષોનો સમાગમ કુશીલિયાને પણ સુશીલ કરે છે. એક દિવસ કૌમુદી મહોત્સવ થવાનો હતો તેથી રાજાના લોકોએ “આજે ધોઈને લાવ” એમ કહી ચતુદર્શીને દિવસે રાજાનાં અને રાણીનાં વસ્ત્ર તે ધોબીને ધોવા આપ્યાં. ધોબીએ કહ્યું, “મને તથા મારા કુટુંબને બાધા હોવાથી અમે પર્વને દિવસે વસ્ત્ર ધોવા આદિ આરંભ કરતા નથી.’ રાજાના લોકોએ કહ્યું કે “રાજાની આગળ તારી બાધા તે શી ? રાજાની આજ્ઞાનો ભંગ થાય તો પ્રાણાંતિક દંડ થશે.' પછી ધોબીના સાથીઓએ તથા બીજા લોકોએ પણ વસ્ત્રો ધોવા માટે તેને ઘણું કહ્યું, ધનેશ્વર શેઠ પણ “રાજદંડ થવાથી ધર્મની હીલના વગેરે ન થાય' એમ વિચારી યામિઓનેાં એવો
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy