SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સેવા. . ૧૫૭ તું કબૂલ કરતો હોય તો રૂપિયા પાછા આપું. તે વાત કબૂલ કરવાથી દુકાનદારે મદનને પાંચસો દ્રમ્મ પાછા આપ્યા. હવે એક સમયે માર્ગમાં બે સુભટોનો કાંઈ વિવાદ થતો હતો. ત્યારે મદન તેમની પાસે ઉભો રહ્યો. બન્ને સુભટોએ મદનને સાક્ષી તરીકે કબૂલ કર્યો, ન્યાય કરવાનો સમય આવ્યો ત્યારે રાજાએ મદનને સાક્ષી તરીકે બોલાવ્યો. ત્યારે બન્ને સુભટોએ મદનને કહ્યું કે “જો મારી તરફેણમાં સાક્ષી નહીં પૂરે તો તારું આવી બન્યું એમ જાણજે.” એવી ધમકીથી આકુળ-વ્યાકુળ થયેલા ધન શ્રેષ્ઠીએ પોતાના પુત્રના રક્ષણ માટે ક્રોડ દ્રમ્મ આપીને બુદ્ધિ દેનારની પાસેથી એક બુદ્ધિ લીધી કે “તું તારા પુત્રને ગાંડો કર” એમ કરવાથી ધનશ્રેષ્ઠી સુખી થયો. એ બુદ્ધિકર્મ ઉપર દૃષ્ટાંત કહ્યું છે. - વ્યાપાર આદિ કરનારા લોકો હાથથી કામ કરનારા જાણવા. દૂતપણું વગેરે કામ કરનારા લોકો પગથી કામ કરનારા જાણવા. ભાર ઉપાડનારા વગેરે લોકો મસ્તકથી કામ કરનારા જાણવા. સેવા. ૧ રાજાની, ૨ રાજાના અમલદાર લોકોની, ૩ શ્રેષ્ઠીની અને ૪ બીજા લોકોની મળી ચાર પ્રકારની સેવાથી અહોરાત્રિ પરવશતા આદિ ભોગવવું પડતું હોવાથી જેવા તેવા માણસથી થાય તેમ નથી. કહ્યું છે કે સેવક કાંઈ ન બોલે તે મૂંગો કહેવાય, જો છૂટથી બોલે તો બકનારો કહેવાય, જો આઘો બેસે તો બુદ્ધિહીન કહેવાય, જો સહન કરે તો હલકા કુળનો કહેવાય માટે યોગીઓથી પણ ન જાણી શકાય એવો સેવાધર્મ બહુ જ કઠણ છે. જે પોતાની ઉન્નતિ થાય તે માટે નીચું માથું નમાવે, પોતાની આજીવિકાને માટે પ્રાણ આપવા પણ તૈયાર થાય અને સુખપ્રાપ્તિ માટે દુઃખી થાય એવા સેવક કરતાં બીજો કોણ મૂર્ખ હશે ? પારકી સેવા કરવી તે સ્થાનવૃત્તિ સમાન છે. એમ કહેનારા લોકોએ બરાબર વિચાર કર્યો જણાતો નથી. કારણ કે શ્વાન ધણીની ખુશામત પુંછડીથી કરે છે અને સેવક તે ધણીની ખુશામત માથું નમાવી નમાવીને કરે છે માટે સેવકની વૃત્તિ શ્વાન કરતાં પણ નીચ છે એમ છતાં પણ બીજી કોઈ રીતે નિર્વાહ ન થતો હોય તો, સેવા કરીને પણ વિવેકી પુરુષે પોતાનો નિર્વાહ કરવો. કેમકે મોટા શ્રીમાનું હોય તેણે વ્યાપાર કરવો, અલ્પ ધનવાન હોય તેણે ખેતી કરવી અને સર્વ ઉદ્યમ જ્યારે ખૂટી પડે ત્યારે છેવટે સેવા કરવી. સેવા કોની કરવી. સમા, ઉપકારનો જાણ તથા જેનામાં બીજા એવા જ ગુણ હોય, તે ધણીની સેવા કરવી. કેમકે જે કાનનો કાચો ન હોય તથા શૂરવીર, કરેલા ઉપકારનો જાણ, પોતાનું સત્ત્વ રાખનારો, ગુણી, દાતા, ગુણ ઉપર પ્રીતિ રાખનારો એવો ધણી સેવકને ભાગ્યથી જ મળે છે. જૂર, વ્યસની, લોભી, નીચ, ઘણા કાળનો રોગી, મૂર્ખ અને અન્યાયી એવા માણસને કદી પણ પોતાનો અધિપતિ ન કરવો. જે માણસ અવિવેકી રાજા પાસેથી પોતે ઋદ્ધિવંત થવાને ઇચ્છે
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy