SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સાત વખત કરાતાં ચૈત્યવંદન. ૮૧ થોઈ કહે. ફરી ચૈત્યવંદન નમુત્થણું કહી, ચાર થોઈ કહી, બેસી નમુત્થણે કહી સ્તવન કહીને જય વીયરાય કહે, એમ પાંચ શક્રસ્તવ થવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કહેવાય છે. સાત વખત કરાતાં ચૈત્યવંદન. (૧) રાઇપડિક્કમણામાં, (૨) મંદિરમાં, (૩) ભોજન પહેલાં (પચ્ચખાણ પારવાનું), (૪) દિવસચરિમનું (ગૌચરી કર્યા પછી), (૫) દેવસીપડિક્કમણમાં, (૬) શયન સમયે (સંથારા પોરસી ભણાવતાં), (૭) જાગીને, એમ દરરોજ સાધુને સાતવાર ચૈત્યવંદન કરવા કહ્યું છે. તેમજ શ્રાવકને પણ સાત વાર સમજવાં તે નીચે મુજબ જે શ્રાવક બે વાર પ્રતિક્રમણ કરનાર હોય તેને ઉપર લખેલી રીત પ્રમાણે અથવા બે વખતના આવશ્યકનાં બે, સુવા-જાગવાના તથા ત્રણ ત્રિકાળ દેવવંદના થાય. સૂવાને વખતે ન કરે તેને પાંચ વાર થાય અને જાગવાની વખતે પણ ન કરે તેને ચાર વાર થાય, ઘણા દેરાસરના જાહાર કરનારને તો વળી ઘણી વાર ચૈત્યવંદના થાય છે. જેનાથી બીજા ન બને તથા જિનપૂજા પણ કરવાની જે દિવસે અડચણ હોય તો પણ ત્રિકાળ દેવ તો જરૂર વાંદવા. શ્રાવકને માટે આગમમાં કહેલું છે કે - હે દેવાનુપ્રિયે ! આજથી માંડીને જાવજીવ સુધી ત્રિકાળ અચૂક, નિશ્ચલ અને એકાગ્ર ચિત્તે કરી દેવ વાંદવા. હે પ્રાણીઓ ! અપવિત્ર, અશાશ્વત, ક્ષણભંગૂર, એવા આ મનુષ્ય શરીરથી આ જ સાર છે. તેમાં પહેલા પહોરે જ્યાં સુધી દેવને અને સાધુને વંદાય નહીં ત્યાં સુધી પાણી પીવું નહીં તેમજ મધ્યાહ્ન જ્યાં સુધી દેવ ન વાંધા હોય ત્યાં સુધી ભોજન પણ ન કરવું. તેમજ પાછલે પહોરે જ્યાં સુધી દેવ ન વાંધા હોય ત્યાં સુધી રાત્રિએ શય્યા ઉપર સુવું પણ નહીં.” બીજે સ્થળે પણ કહ્યું છે કે, “ સવારે ચૈત્ય તથા સાધુઓને વિધિપૂર્વક વંદન કર્યા વગર પાણી પીવું, મધ્યાહૂં ફરીવાર વંદન કર્યા વગર બપોરનું ભોજન અને સાંજના વંદન કર્યા વગર શયન કલ્પતું નથી.” ગીત, નૃત્ય, વાજિંત્ર, સ્તુતિ, સ્તોત્ર, એ અગ્રપૂજામાં ગણાવેલાં ભાવપૂજામાં પણ અવતરે છે, વળી એ મહાફળદાયી હોવાથી ઉદયન રાજા અને પ્રભાવતી રાણીની જેમ બને ત્યાં સુધી પોતે જ કરવાં. નિશીથચૂર્ણિમાં કહેવું છે કે :- “સ્નાન કરીને કર્યા છે કૌતુકમંગળ જેણે એવી પ્રભાવતી રાણી સફેદ વસ્ત્ર પહેરીને, યાવતું આઠમ-ચૌદશના દિવસે ભક્તિરાગે કરી પોતે જ નાટક કરતી હતી અને રાજા પણ તેની મરજી પ્રમાણે મૃદંગ વગાડતો.” ત્રણ અવસ્થા ભાવન. જિનપૂજા કરવાના અવસરે અરિહંતની છઘસ્થ, કેવળી અને સિદ્ધ, એવી ત્રણ અવસ્થા ભાવવી. જે માટે ભાષ્યમાં કહેલું છે કે :
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy