SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Inspection note by the Additional District Judge ""After carefully examining the body on the parts thus scraped to ascertain the kind of material out of which the idol was made orginally, I came to the conclusion that this idol could not have been orginally made of stone, but of some sand-mixed material. For this inquiry, I repeatedly moved my hand and even scraped the surface at those places with my nails and my opinion was confirmed. Thus the necessity of plaster for this idol is obvious." 27-3-1938. R. V. Paranjpe, Addtional District judge, Akola [R. P. P C. 1, પાનું ૨૪૧] (આ મૂર્તિ કઈ વસ્તુમાંથી બનાવવામાં આવી છે એ જાણી લેવા માટે મેં મૂર્તિના અંગ ઉપર કાળજીપૂર્વક હાથ ફેરવી જ્યાં મૂર્તિને ખરડી કાઢવામાં આવી હતી ત્યાં નખથી પણ ખોતરી જોયું તેથી મારી ખાત્રી થઈ છે કે, આ મૂર્તિ પત્થરમાંથી ઘડાયેલી નથી. પણ રેતીમાં બીજો કોઈ પદાર્થ મેળવીને બનાવવામાં આવી છે. એ ચોક્કસ ઠરાવવા માટે મેં નખવડે વારંવાર મૂર્તિ ઉપર ઘસી જોયું હતુ. આ મૂર્તિ ઉપર લેપ કરવાની ખાસ જરૂર છે એવી મારી ખાત્રી થઈ છે. ઉપરના અનેક ઉલ્લેખોથી સિદ્ધ થાય છે કે આ તીર્થમાં સેકડો વર્ષોથી શ્વેતાંબર મુનિઓનું યાત્રાર્થે આગમન ચાલુ જ છે તેમજ શ્રાવકોનું પણ આગમન ચાલુ જ છે. છેલ્લા ભાવવિજયજી ગણિના સ્તોત્રથી પણ બીલકુલ સ્પષ્ટ છે કે- આ મંદિર શ્વેતામ્બરોએ જ બંધાવ્યું છે, તેમજ પ્રતિષ્ઠા આદિ પણ શ્વેતાંબરોના હાથે જ થયું છે. શ્વેતાંબરોની માલિકી સિવાય આ વાત કદાપિ ન જ બની શકે. આકોલા કોર્ટના ન્યાયાધીશ R. V. Paranjpe એ બીજા અનેક પુરાવા સાથે શાસ્ત્રીય પ્રમાણોને પણ ધ્યાનમાં લઈને જજમેન્ટમાં આ મૂર્તિને શ્વેતાંબરી જ ઠરાવી છે. જુઓ - Thus all this printed matter which originated from the Shwetambar writers show that the idol was a Shwetambar one and not Digambar. આ તીર્થમાં પૂજા વગેર કરવા માટે જૂના વખતમાં આપણા લોકોએ શિરપુરગામમાં વસતા મરાઠાઓને પૂજારી તરીકે રાખ્યા હતા કે જે પોલકરોને નામે ઓળખાય છે. મંદિરમાં જુના વખતથી પેઢી પણ રહેતી હતી અને ચોપડા તથા આંગી, ચ, ટીકા વગેરે આભૂષણો પણ રહેતાં હતાં, વિ. સ. ૧૮૪૫ થી માંડીને તે પછીના કાળના હિસાબી ચોપડાઓ પણ મળે છે. ત્યાં શિરપુરગામમાં આપણી વસ્તી ન હોવાને લીધે નજીકમાં જ વરાડમાં રહેતા તથા ખાનદેશમાં રહેતા શ્રાવકો તે તે સમયે અવારનવાર અહીં આવતા જતા હતા અને દેખરેખ રાખતા હતા. હિસાબ વગેરે તપાસી લેતા હતા. તેમાં બાલાપુર(વરાડ)ના શા. પાનાચંદ નથુસા તેમના પુત્ર શા હૌશીલાલ
SR No.032036
Book TitleAntariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy