SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૩ ૧૧૩ ૬૮ સારસ્વતી પ્રાર્થના રાગ :- પ્રભુ જેવો ગણો તેવો તથાપિ બાલ તારો છું.... સરસ્વતી માત હો પ્યારી, તુમારો બાળ સત બોલે કરોને સ્પેર ક્ષણ દેવી, ટળે મુજ અજ્ઞતા જોરે....... સર......૧ બૂરો-ભૂંડો મૂરખ પૂરો, કપટને કામે વળી શૂરો, બધા દુર્ગુણનો દરીયો, છતાં તુજ બાળ નહી ભૂલો.....સર..... ૨ કદી પુત્ર-કુપુત્ર થાય, નહી માતા-કુમાતા થાય ભલી ભોળી તુમ હો માત, જગતની રીત એ’ના છોડ....સર....૩ છતાં તરછોડશો મુજને, થશે અપજશ જગ તારો હવે શું સોચવું તુજને, ગ્રહીલ હાથ બાળકનો........ સર....... મળે તુજ રાગીને શ્રુતજ્ઞાન, ફળે તું ધ્યાનીને ઉજમાળ પરંતુ આપો જો નિજજ્ઞાન, માનું કે આપનો નહી પાર.....સર....પ ભરી શ્રદ્ધા હૃદય ભારી, જગતમાં તું હી એક સાચી કરીશ જ્ઞાની આતમરાગી, અંતરના પાપ દઈ ટાળી..... સર,... આ ૯ નવ કૃતિઓના રચયિતા મુનિ કુલચંદ્ર વિજય. / - સારસ્વતી મંત્ર વિભાગ :- મંત્રજાપ શરુ કરતા પહેલા અતિ જરૂરી સામાન્ય વિધિ : A :- યાને સાધનાશુદ્ધિ :૧. કોઈ પણ પ્રકારના દેવ-દેવીઓના મંત્ર જાપની શરૂઆત કરતાં પહેલાં ગુરુ મ.સા. ની આજ્ઞા કે અનુભવી વડીલોની સંમતિ લેવી. કોઈ પણ મંત્રની શરુઆત શુદ્ધ દિવસે-ચંદ્રબળ વિગેરે જોઈ શ્રેષ્ઠ સમયે ચાલુ કરવી. મંત્ર સાધના માટે તીર્થભૂમિ, વનપ્રદેશ, પર્વતના ઉંચા સ્થાને, નદીતીરે, અથવા દેરાસર-ઉપાશ્રય કે ઘરના એકાંત સ્થાનમાં જ્યાં શાંતિ-સ્વચ્છતા ને સ્વસ્થતા જળવાય ત્યાં જાપ કરવો. ૪. પ્રભુપ્રતિમા કે ઈષ્ટદેવ-દેવીઓની પૂર્વદિશામાં વિધિપૂર્વક સ્થાપના કરી જાપ કરવો. ૫. જાપ દરમ્યાન સંપૂર્ણ મૌન રાખવું અને શાંત બનવું. ૬. જાપ કરતા પહેલાં જગ્યા શુદ્ધ કરી શુદ્ધ (કોરા) વસ્ત્રો પહેરવા. (૭. ધૂપ-દીપ અને સુગંધી વાતાવરણ વચ્ચે જાપ ચાલુ કરવો. ૮. કોઈ પણ મંત્રની શરૂઆત કરતા પહેલા ઓછામાં ઓછી ૧ બાધા પારાની શ્રી નવકાર તે મંત્રની માળા ગણવી. તે
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy