SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વયં દોરાઈ જાય છે. અનુભવી સાધકો એમ માને છે કે શુદ્ધતાથી કરાયેલો સિદ્ધમંત્રનો જાપ જ દિવ્યશક્તિ પ્રગટ કરી, આપણું ઇષ્ટ સિદ્ધ કરે છે. મંત્ર ચૈતન્યથી ભિન્ન કોઈ દેવ નથી. મંત્રબીજોની ભિન્નતાથી ઇષ્ટનાં સ્વરૂપ પણ જુદાં જુદાં હોઈ શકે છે. તેથી સરસ્વતીનાં પણ ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. હંસવાહના મયૂરવાહના આદિ, વીણાધારિણી કમંડલૂધારિણી આદિ પણ છે. આ બધું સિદ્ધમંત્ર ચૈતન્યનો જ મહાવિલાસ છે. સાધનાજગતમાં અનુભવોને એના તારણમાં આવું વૈવિધ્ય રહેવાનું જ છે પણ છેવટે બધું એક જ થઈ જાય. હવે દેવજગતમાં સરસ્વતીદેવી કોણ છે તેનો વિમર્શ કરીએ. પ્રાચીન પરંપરામાં સરસ્વતીને સંગીત, નૃત્ય ને નાટ્યની દેવી પણ કહી છે. આ સરસ્વતીદેવી ગંધર્વ નિકાયના ઈન્દ્ર ગીતરતિની પટ્ટરાણી સંભવે છે, તેઓ પ્રાયઃ મયૂરવાહિની હુશે. મયૂર કલાનું પ્રતીક છે. જંબુદ્વિપ આદિ આઠ દ્વિપમાં ૬ વર્ષધર પર્વતો છે. દરેક પર્વત પર ૬ દ્રહ છે, તે દ્રોહમાં શ્રી ઠ્ઠી - ધી - કીર્તિ - બુદ્ધિ - લક્ષ્મી આ છ દ્રહ દેવીઓ છે. આમા હ્તી - ધી - બુદ્ધિ આ ત્રણે સરસ્વતી છે. ૐ નમો દ્વીરીજુ સંમીપ્ માં આ ડ્રી દેવીનું સ્મરણ છે. કુવલયમાલા મહાકબથા પણ હ્રી દેવતાના પ્રસાદનું સર્જન છે. ઘી અને બુદ્ધિ પણ સરસ્વતીનાં જ નામ છે. ઘી એટલે ધારણા સ્મૃતિ, બુદ્ધિ એટલે બોધ - વિદ્વતા એટલે આપણે ત્યાં જ સારસ્વત ઉપાસના ચાલે છે એમાં આ ત્રણ દેવી મુખ્ય હશે તેમ સંભવ છે. લોકપ્રસિદ્ધ લક્ષ્મી – સરસ્વતી તો ઉત્તર જંબુદ્વીપના પુંડરિક દ્રહની લક્ષ્મીદેવી, તથા મહાપુંડરિક દ્રવની બુદ્ધિદેવી આ બેની જોડી હોવા સંભવ છે. ૧૪ જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
SR No.032026
Book TitleGyan Sadhna Ane Sarasvati Vandana
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2011
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy