SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સ–લાઈટ, આદિની બેલીનું દ્રવ્ય દેવદ્રવ્યમાં ન લઈ જતાં સાધારણખાતે લઈ જવાની સત્તા તે શી રીતે વાપરી શકે? શ્રી હરિભકસૂરિ પણ કહે છે કે – जीणदव्वलेसजणियं ठाणं जीणदव्वभोयणं सव्वं । साहूहिं चइयव्वं जइ तंमि वसिज पच्छित्तं ॥ - “અલ્પ પણ જીન દ્રવ્યથી બનાવેલું સ્થાન તથા જનદ્રવ્યથી આવેલું ભોજન એ સર્વને સાધુએ ત્યાગ કરે. જે જીનદ્રવ્યથી બનેલા સ્થાનમાં સાધુ નિવાસ કરે તે તેને અવશ્ય પ્રાયશ્ચિત લાગે. અર્થાત્ દેવદ્રવ્યની બાબતમાં સાધુ કે શ્રીસંઘની કેઈની સત્તા મુદ્દલ ચાલતી નથી. સાધારણ ખાતાની વ્યવસ્થામાં શ્રીસંઘ એટલે બધે નિયમાધીન નથી. પ્રચલિત ભાષામાં કહીએ તે શ્રીસંઘ દેવાદિ ક્ષેત્રનાં દ્રવ્ય અને તેની આવકના સંબંધમાં એક ટ્રસ્ટી શ્રીસંઘની સત્તા અથવા વ્યવસ્થાપક તરીકે જ કામ કરી શકે. * વ્યવસ્થાપક પિતાની ચોક્કસ હદ કે સીમાનું ઉલ્લંઘન કરે તે તેણે પોતાની સત્તાને સદુપયોગ કર્યો એમ ન કહી શકાય. સાધારણ ખાતાના સંબંધમાં પણું નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે પરંતુ તે નિયમો અમુક હદ સુધી સ્વતંત્રતા આપનારા છે. જો કે સાધારણ ખાતાના વ્યવસ્થાપક સાત ક્ષેત્રને સુકી એક પગલું આગળ ન વધી શકે તેમજ શ્રી સંઘની રજા વિના તરંગાનુસાર વર્તન પણ ન ચલાવી શકે એમ તે તેજ વખતે જણાવી દેવામાં આવ્યું છે– साधारणमपि द्रव्यं कल्पते संघसम्मतम्श्रीसंघेनाऽपि तद्र्व्यं सप्तक्षेत्र्यां जीनाझया॥ व्ययनीयं न देयं तु मार्गणादौ यथा तथा। (ઉપદેશસપ્તતી )
SR No.032005
Book TitleDevdravya Par Shastriya Pramanonu Search Light
Original Sutra AuthorN/A
AuthorAnandvijay
PublisherPurushottamdas Jaymal Mehta
Publication Year
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy