SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ય–લાઈટ ડાતા માણસેને તેમાંથી એક કેડી પણ સીધી રીતે કામમાં આવી શકવાની નથી. આ ઉદ્દગાર હદયદ્રાવક છે! વિવેકબુદ્ધિ અને પ્રમાણેની સામે બળ ઉઠાવે એવાં છે. આવા સતમાં શાસ્ત્રની સહાયતાજ એક માત્ર ઉપકારક થઈ શકે છે. આ પત્રિકામાં દેવદ્રવ્યને શાસ્ત્રીય પ્રમાણે પૂર્વક સિદ્ધ કરવાને અમારે પ્રયત્ન કેઈ કેઈને દેવદ્રવ્ય પ્રતિ પક્ષપાતવાળે લાગશે એ અમને ભય રહે છે, પરંતુ વધારે વાયવ્યય કે સમયવ્યય નહીં કરતાં અંતઃકરણ પૂર્વક એટલું જ કહી દઈશું કે-જે દ્રવ્યથી માનવરક્ષા થતી હોય અને જે દ્રવ્યવડે દુભાએલા આ ત્માને શાંતિ મળતી હોય તેવા દ્રવ્યની સાધારણ ખાતાના દ્રવ્યની કે એવા હરકેઇ દ્રવ્યની અમે લેશ પણ ઓછી કીંમત આંકવા માગતા નથી. સાધારણ ખાતાના દ્રવ્યની કે એવા હરકેઈ દ્રવ્યની અભિવૃદ્ધિ થાય તે અમને દરેક રીતે ઈષ્ટ છે. માનવરક્ષા, જીવદયા કે જ્ઞાનપ્રચારના પ્રશ્નમાં એક સામાન્ય આવશોદ્દભવ બાળક પણ વિરૂદ્ધ મત ન આપે તે પછી જૈનમુનિઓ કે જેમના પ્રત્યેક આચરણમાં દયા, ધર્મપ્રીતિ અને વિવેક ભરેલાં હોય તેઓ ધમી અને ધર્મને પિષક થાય એવા સાધારણદ્રવ્યમાં વિનભૂત થઈ જ કેમ શકે?, આ ચર્ચાને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી કે સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરવી એ પ્રશ્નની સાથે મુદ્દલ સં. બંધ નથી. આ જમાનામાં દેવદ્રવ્ય વધારે ઉપયોગી છે કે સાધારણદ્રવ્ય વધારે ઉપયોગી છે એની સાથે પણ આ ચર્ચાને કંઈ નિસ્બત નથી. દુષ્કાળ પીડિત મનુષ્યને દેવદ્રવ્ય કામમાં આવશે કે સાધારણુદ્રવ્ય કામમાં આવશે એ પ્રશ્ન પણ અસ્થાને છે. મુખ્ય પ્રશ્ન એ છે કે-દેવદ્રવ્યને સાધારણદ્રવ્યની કપનાને પહેરવેશ પહેરાવી સાધારણ ખાતામાં લઈ જઈ શકાય કે કેમ? લકે ભલે દેવદ્રવ્ય તરીકે આપે પણ સંઘ તેને પિતાની ઇચ્છા અને આવશ્યકતાનુ
SR No.032005
Book TitleDevdravya Par Shastriya Pramanonu Search Light
Original Sutra AuthorN/A
AuthorAnandvijay
PublisherPurushottamdas Jaymal Mehta
Publication Year
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy