SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) દેરાસર છે. અહીંથી શહેરમાં ને શહેરમાં ગાલ ૧ માણિક્તલા સ્ટ્રીટ હેલસી બગાનમાં શ્રી દાદાજીના બગીચામાં દાદાજીનું સ્થાન તથા ધરમશાળા તથા ચોવીસમા ભગવાનનું દેરાસર છે. તેની પાસે બીજું રાવબહાદુર કાળીકાદાસ બદ્રિદાસજીના બગીચામાં દસમાં ભગવાનનું દેરાસર ઘણું રમણીય રંગબેરંગી કારીગરીનું છે તેની પાસે બીજું નવું દેરાસર છે, કુલ ધરમશાળા બે તથા દેરાસર ચાર છે. અહીંથી આગબેટ દરીયા માર્ગે બ્રહ્મદેશમાં આવેલા રંગુન શહેરમાં આઠ દીવશે જવાય છે - દેરાસર તથા ઉતરવાની જગા છે. માણેક પાના તથા ચેખા વિગેરે અનાજના વેપારનું મોટું મથક છે. અહીંથી પાછા આગબોટ રસ્તે કલક્ત આવવું. કલકત્તેથી રેલગાડીએ માઈલ ૧૮૩ મધુપુર જેકશન સ્ટેશન આવવું. ભાડું રૂ. ૨-૬-૩ છે ત્યાંથી બીજી રેલ ગાડીએ માઈલ ર૩ ગ્રટી સ્ટેશન જવું. ભાડું રૂ. ૦-૫-૬. અહીંથી રેલ માર્ગે લખેસરાઈ જવું ત્યાંથી પગ રતે ગાઉ ત્રણ કાકદી નગરી જવું. - ૬૭ કાકડી નગરી. તીર્થ છે. નવમા ભગવાનનું દેરાસર તથા ધરમશાળા છે, નવમા ભગવાનના અવન, જન્મ, દીક્ષા અને કેવળ, એમ ચાર કલ્યાણક થયા છે. ગામમાં જણશ મળે છે. અહીંથી પગ રસ્તે લછુવાડ ગામ ૭ ગાઉ જવું. ૬૮ લgવાહ ગ્રામ, : ધરમશાળા તથા દેરાસર છે, જણસ મળે છે, ત્યાંથી એક ગાઉ પાહાહ ઉપર ક્ષત્રીકુંડ નગર તીર્થે જવું, તલાટી એક ગાઊ સુધી બેલ ગાહી જાય છે, ખાવા વગેરે જણસ સાથે રાખી પહાડ પર જવાય છે,
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy