SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૧) છે ત્યાં તલાટીની ધરમશાળા છે, તેમાં દર્શન પૂજા માટે એક ભગવાન ની પ્રતિમાજી રાખેલ છે, જાત્રાળુઓને સંધ તરફથી અહી ભાતુ આપવામાં આવે છે. અન્ય દર્શનીઓને પણ સંધ તરફથી ચણા આપવામાં આવે છે. ત્યાં પાણીનો કુ તથા કુંડ છે. તલાટી ભાતા ખાતાના વહીવટ અચળગઢના કારખાના તરફથી થાય છે. ગામ આરણા પાસે થઈને ઈગ્રેજી કાંપ (આબુકાંપ-છાવણી) માં જવાય છે છાવણીથી જમણા હાથને માર્ગ થઈ આબુતીરથના શ્રી દેલવાડાના દેરાસરેએ જવાનો રસ્તો છે. આઘેથી એ દેરાસરના ઘણા રમણીય અને સુંદર દેખાવાથી અતી આનંદ થાય છે રસ્તામાં હવા ઘણી સારી આવે છે. અહીં સુધી જતાં અન્ય દરશનીઓના મંદીરે વગેરે આવે છે. રસકુંપવાવ પણ તે રસ્તાની બાજુના શીખર પર હેવાનું કહેવાય છે દેરાસરેની દેલવાડામાં પચતાં ભેટ થાય છે. દેરાસર ચાર છે. ૧ વિમલશાએ મુખ્ય દેરાસર ઘણું વિશાળ બાવન છનાલયનું બંધાવી સંવત ૧૦૮૮ માં પ્રતિષ્ઠા પ્રથમ તીર્થંકરની કરી છે, દેરાશરની અનુપમેય કરણી છે સર્વ કામ આરસનું છટ સુધાનું છે. તેમાં અઢાર કરે તેપન લાખ રૂપીઆ ખર્ચ થયેલ છે. " ૨ વસ્તુપાળ તેજપાળનું બંધાવેલું બીજુ બાવીસમા ભગવાનનું બાવન છનાલયનું વિશાલ દેરાસર છે. તેમાં વળી કરણીનું કામ વધારે છે. બાર કરોડ તેપન લાખ રૂપીઆ આ દેરાસર બાંધતાં થયેલા છે. આ દેરાણી જેઠાણીના એટલે વસ્તુપાળની સ્ત્રી અને તેજપાળની સ્ત્રીના બંધાવેલા બે ગોખલા છે. તેમાં કેતર કામ ઘણું ઉંચા પ્રકારનું છે, દેરાણી જેઠાણીના વાદ વિવાદમાં કોતર કામની મજુરી અણગણત્રી
SR No.032001
Book TitleJain Tirthavali Pravas
Original Sutra AuthorN/A
AuthorLakhamshi Nenshi Savani
PublisherLakhamshi Nenshi Savani
Publication Year1907
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy