SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ ઈન્દ્રિયગમ્ય છે, બીજા અવિનાશી દ્રવ્યો ઈન્દ્રિયગમ્ય નથી. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં બુદ્ધિ છે, અતીન્દ્રિય પ્રત્યક્ષમાં જ્ઞાન છે. ઈન્ડિરેક્ટ પ્રકાશ એ ઈન્દ્રિયજ્ઞાન અને ડિરેક્ટ પ્રકાશ એ અતીન્દ્રિયજ્ઞાન. અતીન્દ્રિયજ્ઞાન જાણે તેને જ્ઞાતાપદ કહેવાય. દેહાધ્યાસ છૂટે ત્યારે પોતે જ્ઞાતા થાય. પોતે શુદ્ધાત્મા થઈને આ ચંદુભાઈ શું કરે છે એ જોયા કરે, જાણ્યા કરે એ અતીન્દ્રિયજ્ઞાન કહેવાય. દોષના આધારે આત્માના જ્ઞાનના પર્યાય થાય. પર્યાયને આત્મા ના કહેવાય. દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણ ભેગું થાય ત્યારે વસ્તુ તત્ત્વ, કહેવાય. આત્માનું જ્ઞાન કબાટને ના જાણે. ઈન્દ્રિયજ્ઞાન જાણે કે આ કબાટ છે અને ઈન્દ્રિયજ્ઞાને શું જાણ્યું એ પોતે જાણે. અજ્ઞાનીને અને જ્ઞાનીને ઈન્દ્રિયજ્ઞાનમાં ફે૨ નથી, માત્ર અતીન્દ્રિયજ્ઞાનમાં ફેર છે. શેયોને જોવા આત્માને ફરવું નથી પડતું, ખરેખર એના પોતાના જ દ્રવ્યમાં બધા જ્ઞેયો ઝળકે છે. જેમ અરીસામાં, જેટલા લોકો સામે આવે તે બધા મહીં ઝળકે. [૧૧] સૂક્ષ્મતમ આત્મા સૂક્ષ્મતમ છે, જ્યારે શબ્દો સ્થૂળ છે. જે આંખે દેખાય, વાણીમાં બોલાય, કાને સંભળાય. આત્મા નિઃશબ્દ છે, અવર્ણનીય છે, અવક્તવ્ય છે. એ સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, સૂક્ષ્મતર નથી, સૂક્ષ્મતમ છે. એને સ્થૂળમાં કેમ કરીને પમાય ? આગમો સ્થૂળ શબ્દરૂપ છે. આગમોમાં ત્રીસ ટકા વાત છે. બાકીની સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ વાત, જે સિત્તેર ટકા, તે જ્ઞાની પુરુષના હૃદયમાં છે. તે શી રીતે આ શાસ્ત્રોથી આત્મા આખો પ્રાપ્ત થાય ? એટલે કહ્યું, જ્ઞાની પુરુષ પાસે જા. એ સંજ્ઞાથી, કૃપાથી આત્મા પમાડશે. આત્મા અજોડ વસ્તુ છે. મોટા ડુંગરોની, ભીંતોની આરપાર પસાર થઈ શકે એવું આત્માનું સૂક્ષ્મતમ સ્વરૂપ છે. 68
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy