SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯.૩] સિદ્ધ ભગવાન ૩૬૭ છે, તેના પર્યાય હોય પણ આનંદનો પર્યાય ના હોય. આનંદ તો રિઝલ્ટ છે, ગુણોનું રિઝલ્ટ છે, સ્વભાવિક સુખ છે. પ્રશ્નકર્તા ઃ બરોબર છે પણ એને ભોગવતા હશેને ? દાદાશ્રી : એ તો નિરંતર એ જ ભોગવે. એમાં જ રહે છે, બસ. બીજું શું એમને ? નિરંતર પરમાનંદમાં, જ્ઞાયકતા ભાવમાં નિરંતર ! પ્રશ્નકર્તા ઃ સિદ્ધ ભગવતોને આખા બ્રહ્માંડમાં બધું જ જ્ઞાન દેખાય. એમને સ્વ-પરનું બધું જ જ્ઞાન હોય, આખા બ્રહ્માંડની દરેક વસ્તુનું, તો તે વખતે તેમનો ઉપયોગ ક્યાં હોય ? પર્યાયમાં હોય, ક્યાં હોય ? દાદાશ્રી : સિદ્ધ ભગવંતોને ઉપયોગ ના હોય, ઉપયોગ દેહધારીને હોય. ઉપયોગ એટલે શાનો ઉપયોગ કે સ્વાભાવિકનો ઉપયોગ ના હોય. એ શબ્દ જ ના હોય, ઉપયોગેય ના હોય. જાગૃતિ રાખવાની જ ના હોય ! જાગૃતિ રાખવાની ત્યાં ઉપયોગ હોય. પ્રશ્નકર્તા: બરોબર, સમજ પડી. દાદાશ્રી : આ દેહ છે ને, ત્યાં સુધી ઉપયોગની જરૂર છે. બાકી ઉપયોગ હોતો હશે ? પ્રશ્નકર્તા : ઉપયોગમય છે આત્મા. દાદાશ્રી : ઉપયોગ શબ્દ ના હોય. પોતાનો દીવો પ્રગટ દીવો સળગ્યા કરે. ઉપયોગ તો અહીં નિર્વાણ ના થાય ત્યાં સુધી ઉપયોગ. આ દેહ છૂટ્યો, એટલે ઉપયોગ છૂટ્યો, ઉપયોગ-બુપયોગ બધું જ ગયું. શબ્દમાત્ર ગયો. કશું રહ્યું નહીં એમને તો, પોતાના સ્વભાવમાં જ, જેમ સોનું સોનાના સ્વભાવમાં હોય છે. પ્રશ્નકર્તા: સોનાનો આ પર્યાય થયો ? દાદાશ્રી : હા, એ તો એ એમનો ઉપયોગ નથી પણ એ એમની સ્વભાવની રમણતા છે.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy