SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯.૩] સિદ્ધ ભગવાન ૩૫૭ રીતે જ ભોગવી શકો છો. સિદ્ધગતિમાં બધા સિદ્ધો સ્વતંત્ર રીતે જ છે અને પોતાના સુખને જ અનુભવે છે, નિરંતર પરમાનંદને અનુભવે છે. એમનું એક મિનિટનું સુખ એ જો દુનિયા પર પડે, વખતે લપસી પડે, તો આખી દુનિયા હજારો વર્ષ સુધી આનંદમાં રહે, એવા સુખને ભોગવી રહ્યા છે. અને એવા સુખને માટે આ લોકો તલપાપડ થઈ રહ્યા છે ને તમારું પોતાનું સુખ પણ એવું જ છે. મને આ દેહનો અંતરાય હોવા છતાંય પણ જે સુખ છે, એના ઉપરથી સમજાય છે કે આ દેહના અંતરાય ના હોય તો કેવું સુખ હોય ! અમારી જોડે બેઠા છો, તોય તમને બધાને સુખ અત્યારે મળે છે ને ! તેમાં અમારું સુખ તો ઊભરાય છે ને તે તમને સ્વાદ આપે છે ! પોતે પોતાનું સ્વાનુભવ સુખ ભોગવ્યા કરે પ્રશ્નકર્તા: જે સિદ્ધગતિમાં છે, મોક્ષે ગયા છે, એ લોકો દેહ વગરનું જે સુખ અનુભવ કરે છે, તો એ સુખ કોણ અનુભવ કરે છે ? દાદાશ્રી : પોતે જ, પોતે પોતાનો અનુભવ કરે છે. પોતે પોતાનું સ્વાનુભવ સુખ ભોગવ્યા જ કરે છે અને નિરંતર ગતિમાન છે પાછા. એમને કાર્ય શું છે ? કે જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયા નિરંતર ચાલુ જ રહે છે ! પ્રશ્નકર્તા: પછી એને શું જરૂર છે ત્યાં, આ નિરંતર જ્ઞાનક્રિયાદર્શનક્રિયાની ? દાદાશ્રી : એ તો સ્વભાવ છે એમનો. આ લાઈટ છે, એ જો ચેતન હોય તો આપણને નિરંતર જોયા જ કરે કે ના કરે ? એવું એ ચેતન જોયા કરે છે. પ્રશ્નકર્તા: દાદા, આત્મા મોક્ષમાં જાય અને પછી જ્ઞાતા-દ્રષ્ટા બને, પછી એમાં આગળ વધ્યા કરે ખરો ? દાદાશ્રી : પછી આગળ વધવાનું રહ્યું જ ક્યાં તે વધે ? પ્રશ્નકર્તા: બસ, એક સ્થિર સ્થિતિ થઈ ગઈ ? દાદાશ્રી: પછી એ જ પરમાત્મા જીવન, બસ. જે આપણે ખોળીએ
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy