SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯.૨] સિદ્ધક્ષેત્ર ૩૩૯ સ્વભાવથી લઈ જાય ગતિસહાયક, આત્મા રહે અકર્તા પ્રશ્નકર્તા એટલે કરવાનું રહ્યું નહીં કરું ? દાદાશ્રી : એ તમારે કશું કરવું જ ના પડે, એ સ્વભાવથી જ તમને લઈ જાય. હા, એને પાછું ધર્માસ્તિકાય વળાવવા હઉ જાય ઠેઠ. ધર્માસ્તિકાયની મદદ વગર જઈ ના શકે. તે એટલો કર્મનો હિસાબ આ ચૂકવે છે, ઠેઠ પહોંચાડતા સુધીનો હિસાબ. પ્રશ્નકર્તા: કોની સાથેનો, ધર્માસ્તિકાય સાથેનો ? દાદાશ્રી : આ ધર્માસ્તિકાય એ ચૂકવે છે ને ! પોતાની ઈચ્છા હતી તેથી એ સહાય કરે છે. પ્રશ્નકર્તા: જ્યારે આત્મા મોક્ષે જાય છે તે વખતે ગતિસહાયક ને સ્થિતિસહાયક આ જ તત્ત્વો રહે છે, બીજું કશું રહેતું નથી. તો આ બે તત્ત્વો કયા કારણોસર એની સાથે રહે છે ? દાદાશ્રી : જે તત્ત્વોનું કામ બાકી છે, એ તત્ત્વો રહે છે. જેને કામ બાકી નથી, એ કોઈ તત્ત્વ રહેતું નથી. હવે આત્માને મોક્ષમાં લઈ જવાનું કામ બાકી, એ ગતિસહાયક તત્ત્વ અને ત્યાં સ્થિર કરવાનું સ્થિતિસહાયક તત્ત્વ, એ બે તત્ત્વો કામ કરીને ચાલ્યા જાય પછી એમને ઘેર. ગોઠવણી જ હોય છે એવી. પ્રશ્નકર્તા ત્યારે આત્મા કોઈ અમુક દશામાં હોય છે કે એને આ બે તત્ત્વો. દાદાશ્રી : ના, દશા-બશા કશું જ નહીં. આત્માને મોક્ષે જવું છે એવો ભાવ કરેલો. એટલે એ ભાવના આધારે, એ ગતિસહાયક તત્ત્વ ને સ્થિતિસહાયક તત્ત્વ જોઈન્ટ થઈ ગયા. અહીંથી આપણે નવસારી જવાનો ભાવ કરીએ, એટલે ગતિસહાયક તત્ત્વ કામ કર્યા કરે ને સ્થિતિસહાયક તત્ત્વય કામ કર્યા કરે.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy