SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) જાય, તો આ સંસારના નાશની તે ભાવના કરી કે સંસાર ના હો ! અને આ સંસાર એ તો આત્માનું ડેવલેપમેન્ટ છે. આત્મા મૂળ તો ડેવલપ થયેલો જ છે. આત્મા તો પોતે આત્મા જ છે પણ આ આપણી અત્યારે એવી શ્રેણી ઉત્પન્ન થયેલી છે, તે પદ્ગલિક માન્યતામાં રૂઢ થઈ ગયેલા છીએ. તે માન્યતાઓ ખસતી ખસતી ખસતી ખસતી મૂળ ચૈતન્યસ્વરૂપની ભાવના ઉત્પન્ન થાય છે. પ્રશ્નકર્તા ઃ એટલે કોઈ આત્મા મોક્ષે પહોંચી જ નથી શકતો ? દાદાશ્રી : અરે, બધા ઘણા પહોંચી શકે છે ને હું મોક્ષમાં જ, અત્યારેય મોક્ષમાં જ છું. પ્રશ્નકર્તા : એવું કેમ ના બની શકે કે બધા જ આત્મા મોક્ષે જતા રહે ? પોસિબલ ખરું? દાદાશ્રી : આખું જગત મોક્ષે જાય એવી ભાવના ભાવવાનો અધિકાર છે મનુષ્યને, પણ એ રૂપકમાં ક્યારેય આવે નહીં. એ રૂપકમાં ક્યારે આવશે કે મા ને છોકરો બે સરખી ઉંમરના થશે ત્યારે ! મા ને છોકરો બે સરખી ઉંમરના થશે કોઈ વખત ? જો છોકરો ને મા બે સરખી ઉંમરના જે દહાડે થાય, તે દહાડે આ જગત આખું મોક્ષે જતું રહેશે. પ્રશ્નકર્તા તીર્થકરોના સમયમાં જે આત્મા આવે, એનો જ મોક્ષ થાય કે બીજા કોઈનો ? એટલે આપના સમયમાં અમે આવ્યા, તો અમારો મોક્ષ થાય કે બીજાનો પણ થાય, બીજા સમયમાં ? દાદાશ્રી : બધાનો મોક્ષ તો થવાનો જ છે, વહેલે-મોડે. એનો ક્રમ છે. એક સમયે એકસો આઠ જીવ મોક્ષે જયા કરે છે, પ્રવાહ રૂપે. અને એકસો આઠ જીવ એટલા બહારથી આ વ્યવહારમાં આવે છે. આ વ્યવહારમાં એક જીવ વધતો-ઘટતો નથી. વ્યવહાર પરિપૂર્ણ છે. અબજો અવતારે ન મળે, તે એક ક્લાકમાં થાય કારણ મોક્ષ પ્રશ્નકર્તાદાદા, આત્માનો મોક્ષ થવાનો ઓછામાં ઓછો સમય કયો ?
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy