SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) પ્રશ્નકર્તા : આકાશ એ તો આત્મદ્રવ્યની સાથે રહેલું જ છે ને ? એને જુદું પાડી નહીં શકાયને ? ૨૩૬ દાદાશ્રી : એય જુદું પડી જાય. પ્રશ્નકર્તા : આકાશે પણ જુદું પડી જાય ? દાદાશ્રી : આકાશથી પણ જુદો પડી જાય, એ અવગાહક છે. અવગાહના એને જરૂર નથી. છે આકાશમાં છતાં પોતે આકાશ રોકતો નથી, એવી રીતે રહ્યો છે સિદ્ધક્ષેત્રમાં ! પ્રશ્નકર્તા : આત્મા પોતે આકાશ જગ્યા રોકતો નથી, એ કેવી રીતે બને ? દાદાશ્રી : આકાશ જોડે રહે એટલે પછી એ બેનું મિક્ષ્ચર થયું. આત્માને તો આકાશનીય જરૂર નથી. જેને કોઈનું અવલંબન ના હોય એ આત્મા ! ભગવાન કહેવાય એ તો ! પ્રશ્નકર્તા : સમજાયું, ત્યાં બધું છૂટું પડી જાય અને દેવલોકમાં બધા છએ છ તત્ત્વો હોય. દાદાશ્રી : બધે. છ તત્ત્વના મિક્ષ્ચર વગર કોઈ વસ્તુ ના હોય, આ દુનિયામાં. જ્ઞાનનું સ્વરૂપ આકાશ જેવું પ્રશ્નકર્તા : જ્ઞાન છે તે આકાશ જેવું સર્વકાળમાં સર્વથા અસલ સ્વરૂપે દેખાય છે, એમ તુલના કરી શકાય ખરું ? દાદાશ્રી : હા, આત્મા એ જ્ઞાન જ છે ને બીજું કશું નથી. અને તે આ જ્ઞાન કેવું છે ? આકાશ જેવું. રૂમને જુએ તો રૂમ, આકાશને જુએ તો આકાશ. ‘જ્ઞાન’ એક જ છે, એના ભાગ બધા જુદા જુદા છે. આપણે આ ‘રૂમ’ને જોઈએ તો ‘રૂમ' ને ‘આકાશ’ને જોઈએ તો ‘આકાશ’, પણ ‘જ્ઞાન' તેનું તે જ ! જ્યાં સુધી આ વિશેષ જ્ઞાન જુએ, સાંસારિક જ્ઞાન જુએ, ત્યાં સુધી આત્મા દેખાય જ
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy