SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] અગોચર - અતીન્દ્રિયગમ્ય ૨૦૭ પ્રશ્નકર્તા: એ બેમાં ફેર કેવી રીતે પડે? આ ઈન્દ્રિયથી જાણ્યું અને આ અતીન્દ્રિયથી જાણ્યું એમ આમ અનુભવથી ખબર કેવી રીતે પડે? દાદાશ્રીઈન્દ્રિયથી જે જાણેલું હોયને, તેનેય અતીન્દ્રિય જ્ઞાન જાણે. એટલે આ આખા ચંદુભાઈ જ જ્ઞેય છે. ચંદુભાઈ શું કરે છે એને જાણે એ અતીન્દ્રિય જ્ઞાન કહેવાય. એટલે આપણું જ્ઞાન શું કહે છે કે તમે શુદ્ધાત્મા, આ ચંદુભાઈ શું કરે છે એને જોયા કરવાનું તમારે. પ્રશ્નકર્તા ઃ હું એ જ કહેવા માગું છું કે ચંદુભાઈ આખો દહાડો શું કરે છે, એ જોઈએ તો.. દાદાશ્રી : એવું ના ચાલે, ચંદુભાઈને કંઈ લેવાદેવા નહીં. તમે શુદ્ધાત્મા થઈને ચંદુભાઈ શું કરે છે એ જોવાનું. ખરા-ખોટાને જોવું-જાણવું એ અતીન્દ્રિય જ્ઞાન પ્રશ્નકર્તા: દાદા, મેં આ જ્ઞાન લીધું છે તો હવે આ ચંદુભાઈ શું કરે છે તે હું ચંદુભાઈને શેય તરીકે જાણ્યા કરું, જોયા કરું સતત, તે શુદ્ધ ઉપયોગ કહેવાય ? દાદાશ્રી : બસ, તો છૂટું જ છે. પછી ચંદુભાઈ ગમે તે કરતા હોયને પણ જો જોતો હોય ને જાણતો હોય અને ખરા-ખોટા ભાવ ના કરતો હોય, ફક્ત જાણતો જ હોય તો વાંધો નહીં. છૂટો જ છે. પ્રશ્નકર્તા: હવે ચંદુભાઈ જે કરે, એ ઈન્દ્રિયથી જે અનુભવે એને અતીન્દ્રિયથી જોવું. દાદાશ્રી : હા, આ ઈન્દ્રિયોમાં એ મહીં ખાતી વખતે આ એકાકાર થઈ ગયા છે એય આપણે જાણવાનું, બસ. અને આ જ ખાતી વખતે એકાકાર થયા નહીં એય આપણે જાણવાનું. પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : આ તો વિજ્ઞાન છે. એટલો બધો સરળ માર્ગ છે, જો સમજે તો કંઈ અઘરો છે નહીં.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy