SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ [૯.૧] અમૂર્ત ૧૯૧ ભયસ્થાને પણ અમૂર્તતી ભજતાનું પરિણામ પ્રશ્નકર્તા: આપે પેલી વાત કહી હતી કે વાઘ સામે આવે તો શું કરવું એ વિગતે સમજાવો. દાદાશ્રી : કોઈવાર જંગલમાં જવાનું થાય કે હિંસક જનાવર સામે મળી જાય, એ વખતે હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું” એ જોરથી બોલીએ તો એને આપણે દેખાઈએ જ નહીં. એમ બોલ્યા એને આ દેહ જ દેખાય નહીં. એને આકાશ જ દેખાય, એની દૃષ્ટિમાંથી જ આ ઊડી જાય. વાઘ સામો મળ્યો હોય ને આપણે “અમૂર્ત, અમૂર્ત સો વાર બોલી ગયા તો વાઘ આપણને જોઈ શકે નહીં. એને આપણી મૂર્તિ દેખાય જ નહીં. કોને મારે ? એ બધું સાયન્સ છે આ તો. પ્રશ્નકર્તા ઃ ના પણ એને માણસની ગંધ તો આવે ને ? દાદાશ્રી : પણ એ દેખાય નહીં. ગંધ આવે તો પણ ખોળે ક્યાં? પછી ચાલ્યો જાય.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy