SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ [૮.૧] ભગવાન – પ્રકાશ સ્વરૂપ ૧૩૭ કશું નથી અજવાળું ને બધા લોકો તે દીવાની જ્યોતિ જેવું સમજે છે એવું નથી. ઈન્દ્રિયાતીત અજોડ જ્ઞાતપ્રકાશ આ જ્ઞાનરૂપી પ્રકાશ છે. પ્રકાશ એટલે બધું બેઠા બેઠા દેખાય અને આ જે જ્ઞાન છે, એ જ પ્રકાશ છે. અને એ પ્રકાશ એ જ આત્મા છે. જ્ઞાન જ આત્મા છે, બીજી કોઈ વસ્તુ આત્મા નથી. કેવળજ્ઞાન જ. કેવળ એટલે કોઈ પણ બીજું ભેળસેળ નહીં એવું જ્ઞાન, એનું નામ પ્રકાશ, એનું નામ આત્મા. પ્રશ્નકર્તા: એ પ્રકાશ આપણે કોઈ ચીજની સાથે સરખાવી શકીએ છીએ ? દાદાશ્રી : ના, ના, ના, સરખામણી થઈ જ ના શકે. અજોડ વસ્તુની સરખામણી હોતી હશે ? અજોડ વસ્તુની જેવી બીજી ચીજ જ નથી આ જગતમાં. પ્રશ્નકર્તા : તો પછી એ જે પ્રકાશ છે એ કોઈ ઈન્દ્રિયોની મદદથી આપણને પ્રાપ્ત થતો નથી ? દાદાશ્રી : એ પ્રકાશ એ ઈન્દ્રિયોમાં મદદેય કરતો નથી ને પ્રાપ્તય થતો નથી. પ્રશ્નકર્તા : ઈન્દ્રિયાતીત છે ? દાદાશ્રી : ઈન્દ્રિયાતીત અને બધાથી અતીત આત્મા. સૂર્યથી તા દેખાય એવું દેખાય જ્ઞાનપ્રકાશમાં પ્રશ્નકર્તા: કેવી રીતે અંધારું હોયને આપણે દીવાસળી સળગાવીએ અને આ કાગળ પડ્યો હોય તો એ પ્રકાશમાં આપણને દેખાય, તો એવી રીતે આત્માનો પ્રકાશ થાય તો આપણને શું દેખાય? કેવી રીતે દેખાય ? દાદાશ્રી : જે દુનિયામાં નથી દેખાતું એ બધું દેખાય. અજવાળાથી ના દેખાય, મોટામાં મોટા સૂર્યનારાયણથી ના દેખાય એ દેખાય.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy