SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) હવે એ ટંકોત્કીર્ણને લઈને આજે આપણે આત્મા જુદો કરી શકીએ છીએ, નહીં તો થઈ શકે નહીં. કેટલાય કાળથી બગડી ગયેલું બધું અંદર, પણ ટંકોત્કીર્ણ સ્વભાવને લઈને જ્ઞાની પુરુષોને આ ભેદવિજ્ઞાન હોય એટલે એ ડિમાર્કશન લાઈન નાખી આપે કે આ આત્મા ને આ અનાત્મા, એ છૂટું કરી આપે કે છૂટું પડી જાય. એ છૂટું પડે એટલે તેની જોડે જોડે એ જ્ઞાન જ એવું છે કે એ જ્ઞાનથી અગ્નિ ઉત્પન્ન થાય છે, એ પાપો ભસ્મીભૂત કરી નાખે બધા. અને તો જ જાગૃતિ આવે, નહીં તો જાગૃતિ આવતી હશે કે આ બધાને ? પ્રશ્નકર્તા: એટલે હંમેશાં હું પોતે આ બધી અવસ્થાઓમાં જુદો જ દાદાશ્રી : બધાયે જુદા છે, પણ એનું ભાન થવું જોઈએ ને ! એ ભાન થાય નહીં ત્યાં સુધી નકામું છે. હું શુદ્ધાત્મા છું' એ ભાન થવું જોઈએ. હું જુદો છું એવું ભાન થવું જોઈએ. “હું શુદ્ધાત્મા છું' એ ભાન થાય એટલે જુદો છું એનું ભાન થઈ ગયું કહેવાય. પ્રશ્નકર્તા : પછી પરમેનન્ટ, પોતાના ગુણધર્મમાં રહે ? દાદાશ્રી : હા, પરમેનન્ટ વસ્તુ જુદી છે. પરમેનન્ટ બગડે નહીં ફરી અને જાણીજોઈને બગાડો તો બગડે. અને જો તમારે બગાડવાની ઈચ્છા નથી, તો પરમેનન્ટ મોક્ષે લઈ જશે એક-બે અવતારમાં, અહીંથી જ મુક્તિ થઈ જશે. અહીં મુક્તિ ના થાયને, તો એ ગુણધર્મમાં આવ્યો જ નથી એમ કહેવાય. વિજ્ઞાન સમજાવી નિર્ભય બતાવે દાદા એક પરમાણુ ભેળવાળું હોય તો આત્મજ્ઞાન ન થાય. જ્ઞાન સ્વભાવથી નિર્ભેળવાળી વસ્તુ છે. તેથી અમે કહીએ છીએ કે ટંકોત્કીર્ણ છે. જડ જડના પર્યાયમાં છે ને ચેતન ચેતનના પર્યાયમાં છે. બેઉ જુદા જ છે, એવું ટંકોત્કીર્ણ છે. એટલે કોઈ ગભરાવા જેવી ચીજ નથી કે મારા પર્યાય બગડી ગયા ને ફલાણું બગડી ગયું, કશુંય ગભરાવા જેવું નથી. કોઈ
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy