SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આપ્તવાણી-૧૪ (ભાગ-) પ્રશ્નકર્તા: અને એમ કરતા કરતા વિશુદ્ધતા એટલી બધી થઈ જાય કે પછી પરિણતિઓ બધી વિશુદ્ધ રહે ? દાદાશ્રી: હા, એ પરિણતિઓ બધી શુદ્ધ થઈને ચાલી જાય. આપણી પરિણતિ આપણી પાસે શુદ્ધ થઈને રહે અને આપણેય શુદ્ધ થઈને રહીએ. ફેર, દાદા અને સીમંધર સ્વામીના વિશુદ્ધાત્મામાં આ અમે શુક્લધ્યાનના બીજા પાયામાં છીએ ને તમને પહેલા પાયામાં બેસાડ્યા છે. તેથી કવિ લખે છે કે દાદા વિશુદ્ધ હૃદયી છે. પ્રશ્નકર્તા હવે આ મારો આત્મા છે એ કર્મોથી થોડોક આવરાયેલો છે અને એ શુદ્ધ થતો જાય છે. સમજો કે દાદાનો આત્મા કમ્પ્લીટલી વિશુદ્ધ જ બની ગયો છે. હવે જેવો દાદાનો આત્મા વિશુદ્ધ છે એવો જ સીમંધર સ્વામીનો હોયને ? એમનામાં ને આપનામાં શું ફેર ? દાદાશ્રી : એમનો બિલકુલ ચોખ્ખો, બિલકુલ પ્યૉર. ફેર આ પેલી ચાર ડિગ્રી ઓછી ને એના બધા આવરણો. તેના આ ઝોકા વાગેને ! આ અરધો કલાક અમારે (બીજો) જે જાય, આમ સત્સંગ માટે અમે બોલીએ, અત્યારે બોલીએ તે ખોટું નહીં. પણ બીજી આ વ્યવહારિક વાતો, શીંગો કેમ લાવ્યા ને ફલાણું કેમ લાવ્યા ને કેમ તમારે ના ખાવું જોઈએ, આવી બધી વાતો. હવે આ ચારિત્રમોહ છે, એ જ આવરણ છે. એ એમને ના હોય. પ્રશ્નકર્તા: એમને કમ્પ્લીટલી ક્લિયર ! દાદાશ્રી : એમને કમ્પ્લીટલી ક્લિયર, બહુ ક્લિયર. જગત આખું આફરીન થઈ જાય એવું ક્લિયર. ત્યારે વાણીયે એવી નીકળે. જેટલું ક્લિયરન્સ એવી વાણી ક્લિયર, બસ એટલો નિયમ.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy