SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) આત્માના ગુણો અને સ્વભાવ પ્રશ્નકર્તા: ગુણથી કેવી રીતે છે? દાદાશ્રી : ગુણ એટલે આત્માના છે તે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખધામ, અવ્યાબાધ. આ તે બધા ગુણો બતાવ્યા છે ને ! પ્રશ્નકર્તા અને લક્ષણ ? દાદાશ્રી : લક્ષણ ? લક્ષણ તો આપણને ખબર પડે છે ને, કે આ અત્યારે પહેલા છે તે આ લક્ષણ કોના હતા ? દેહાધ્યાસના હતા. હવે આત્મા (આત્મા પ્રાપ્ત કર્યો)ના લક્ષણ થયા ! પ્રશ્નકર્તા એટલે એ કેવી રીતે ? દાખલા તરીકે ? દાદાશ્રી : અહંકાર ના દેખાય, ક્રોધ ના થાય, લોભ ના થાય. દસ ગુણો રૂપી લક્ષણો ઊભા થાય. ક્ષમા, આર્જવતા (સરળતા), ઋજુતા, શૌચ, એ બધા ઉત્પન્ન થાય લક્ષણો. આવા લક્ષણો હોય તેને આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય. એટલે લક્ષણો તો પરિણામિક છે. એટલે એનામાં સહજ ક્ષમા, સહજ મૃદુતા, સહજ ઋજુતા, સત્ય, સહજ શૌચ હોય. પ્રશ્નકર્તા : એટલે કે આ સહજ ક્ષમા, એ તો બધા પેલા ગુણો થયાને? આત્મા પ્રાપ્ત થયો હોય તેને આવા ગુણો પ્રગટે એવું થયું કે પછી આવા લક્ષણો હોય ? દાદાશ્રી : આવા લક્ષણો હોય, નહીં તો લક્ષણ ના હોય એવા. પ્રશ્નકર્તા : એ પ્રકૃતિમાં જ થાયને, દાદા ? આ દસ ગુણો તો પ્રાકૃત વિભાગમાં પ્રગટ થાયને, પરિણામે ? દાદાશ્રી : ના, પ્રકૃતિના શાના ? આ ગુણો, નથી પ્રકૃતિના, નથી આત્માના. વ્યતિરેક ગુણો છે આ બધા. * દસ લક્ષણો ઃ ક્ષમા, માર્દવ (અભિમાનનો અભાવ, નમ્રતા), આર્જવ (સરળતા, માયાકપટ રહિત થવું), શૌચ (લોભથી વિરામ પામવું, નિર્લોભતા, પવિત્રતા), સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન (મમતાનો અભાવ), બ્રહ્મચર્ય.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy