SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે સિદ્ધ થવું છે, માટે સિદ્ધ સ્તુતિ રોજ કરવી જ જોઈએ. આપણે પ્રજ્ઞાએ કરીને બોલાવવાની, (હું) ચંદુ છે એ બોલશે. ચંદુ (હું)ને કહીએ, ‘તમે બોલો ને અમારા જેવા થાવ. પછી તમેય છૂટા ને અમેય છૂટા.” દાદાશ્રી આપણને બોલાવે ને આપણે બોલીએ, એવું આપણે બોલાવીએ (પ્રજ્ઞામાં બેસીને) અને ચંદુ (હું) બોલે, તો એ પોતે પણ આત્મા રૂપ થતો જાય. “અનંત જ્ઞાનવાળો છું” એ બધા વાક્યો પચ્ચીસ વખત અને બીજા બધા વાક્યો પાંચ વખત એમ કરીને એક ગુંઠાણું પૂરું કરીએ. કોઈ પચ્ચીસને બદલે સો વખત બોલે તોય ચાલે. પહેલા હું ચંદુલાલ તથા ચંદુલાલના મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, હું અનંત જ્ઞાનવાળો છું..” એમ બધા વાક્યો બોલાવવાના. તમે જોનારા અને આ ચંદુલાલ બોલનારા. એ પછી સિદ્ધ સ્તુતિનું ફળ તરત મળે જ, પોતાને આત્મારૂપ બનાવે. આવી સિદ્ધ સ્તુતિની રમણતામાં બધાય અંતરાય તૂટી જાય. આત્મા સિદ્ધ જ છે. એની સિદ્ધ સ્તુતિ જો બોલીએ તો પોતે ભગવાન જ થઈ જાય. ચરણવિધિમાં “હું... કરું છું, મને. શક્તિ આપો', એ સિવાયના જે બધા વાક્યો છે, એ બધી સિદ્ધ સ્તુતિ જ છે, એ બોલવી. આ નિશ્ચય-વ્યવહાર ચરણવિધિ, એ વ્યવહાર સિદ્ધની સ્તવના છે. આપણને સિદ્ધ સ્થિતિમાં લઈ જનારો વ્યવહાર છે આ. એટલે આ ખાસ કરવા જેવી વસ્તુ છે. એ આજ્ઞાપૂર્વકનું છે. ચરણવિધિ કરતી વખતે છૂટાપણું લાગે. માંદગીમાંય એ છૂટો રહે. હું જુદો છું’ એ અનુભવમાં આવે. દાદાશ્રીને ચરણે એમની સ્થળ હયાતીમાં બધા મહાત્માઓ વિધિ કરતા, ત્યારે દાદાશ્રી કહે છે, “રિલેટિવલી બધા જુદા, પણ રિયલી બધા સરખા. અમારે તો શુદ્ધાત્મા જોડે જ વ્યવહાર.” 11
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy