SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આવવા માટે વિશેષણો છે. ત્યાં પહોંચી ગયા પછી એય રહેતા નથી. આત્મા તો પરમાત્મા જ છે. ત્યાં શૂન્યવાદેય નથી, શબ્દય નથી. શબ્દ છે ત્યાં સુધી કલ્પના છે. વિકલ્પય કલ્પના છે, નિર્વિકલ્પય કલ્પના છે. મૂળ આત્મા તો શબ્દાતીત છે, ત્યાં કશું પહોંચતું નથી. આ તો ઓળખવા માટે આરોપણ કર્યું કે આ શું છે ને બીજું બધું શું છે, ભાગ પાડવા માટે. જ્યાં સુધી મૂળ આત્મામાં આવ્યા નથી, ત્યાં સુધી આત્મા જ્ઞાતાદ્રષ્ટા-પરમાનંદી છે, ઉપયોગમય છે એવું બધું બોલવાનું, નહીં તો અવળે રસ્તે જતા રહેવાય. આત્મા શુદ્ધ છે, અશુદ્ધ છે, વિશુદ્ધ છે એ બધું સંજોગ પ્રમાણે કહેવાય. બાકી આત્મા એનો એ જ છે, એમાં કોઈ ચેન્જ નથી. આત્મા નિર્વિશેષ છે, મૂળ તત્ત્વ રૂપે ભગવાન જ છે. - સોનાની થાળી હોય તો જમીને ઊઠો તો “એ થાળી એંઠી છે” એવું કહેવાય, પણ જમ્યા પહેલા ખાવાનું ના મૂક્યું હોય તો એને “શુદ્ધ છે કહેવાય. બાકી થાળી એની એ જ છે. સંજોગ પ્રમાણે શુદ્ધ-અશુદ્ધ દેખાય છે. આત્મા એનો એ જ છે, પણ સંજોગો જુદા લાગવાથી અશુદ્ધિ દેખાય છે. અશુદ્ધિ ખરી જાય તો શુદ્ધ જ છે. આત્મા મેલો થતોય નથી, થયોયે નથી, માત્ર ભ્રામક માન્યતાઓ મેલી થાય છે. આત્મા જો પૂરો જાણવામાં આવે, પૂરો અનુભવવામાં આવે તો એ પોતે જ ભગવાન છે. [૧૭] અવક્તવ્ય : અનુભવગમ્ય [૧૭.૧] અવક્તવ્ય ભગવાન શક્તિ રૂપેય છે ને વ્યક્તિરૂપેય છે, પણ વ્યક્તિરૂપે પૂજે તેને વધારે લાભ મળે. વ્યક્તિરૂપે એટલે જ્યાં ભગવાન વ્યક્ત થયા છે ત્યાં. મનુષ્ય એકલામાં જ ભગવાન વ્યક્ત થઈ શકે. આત્મા એ જ પરમાત્મા છે, પણ એ વ્યક્ત થવો જોઈએ. 64
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy