SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ જાય અને પુદ્ગલ રમણતા બંધ થતી જાય. પુદ્ગલ રમણતાથી મુક્ત એ નિરંતર મુક્ત કહેવાય. જગતના સત્યમાં રમણતા એ અશુદ્ધ ચિત્ત અને નિરપેક્ષ સત્યમાં રમણતા એ શુદ્ધ ચિત્ત ને એ જ શુદ્ધાત્મા છે. જગતના અનંત પરમાણુઓમાંથી ચિત્ત આત્મસ્વરૂપમાં આવશે તો આ સંસારમાંથી ઉકેલ આવશે. પોતાના આત્મસ્વરૂપની ભક્તિ એ જ સ્વરમણતા. પછી બીજા અવલંબન છૂટી જાય. જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય ને દાદાશ્રીની કીર્તનભક્તિ થાય એ ૫૨૨મણતામાં જાય. જ્ઞાન પછી એ કીર્તનભક્તિ સ્વરમણતામાં જાય, પણ તે સાંઠ ટકા ફળ આપે. જ્ઞાન પછી સ્વનું લક્ષ રહે એ સ્વરમણતા થાય, જે પૂર્ણ ફળ આપે. ચંદુભાઈ જે કરે એ પ્રકૃતિને નિહાળવી, એ સ્વરમણતા. વકીલને જ્ઞાન પહેલા વકીલાતમાં, કાયદામાં, એમાં જ આખો દહાડો રમણતા હોય. જ્ઞાન પછી આખો દહાડો આત્મામાં જ રમણતા શરૂ થઈ ગઈ. ચંદુભાઈ શું કરે છે, તેના જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે આત્મરમણતા છે. હું ચંદુ, તે અહંકાર સંસાર રમણતા કરતો હતો. હું શુદ્ધાત્મા થયો, ત્યારે તેનો તે હું આત્મરમણતા કરે. પછી એ મૂળ આત્મામાં વિલીન થઈ જાય. આખું જગત પુદ્ગલ ખાણું, પુદ્ગલ પીણું ને પુદ્ગલ રમણુંમાં જ છે. ખાણું-પીણું લિમિટેડ, જ્યારે ૨મણું અલમિટેડ છે. જ્ઞાન પછી પોતે શુદ્ધાત્મા થયો, એનો ખોરાકેય આત્માનો, પીવાનુંયે આત્માનું, રમણતાયે આત્માની. શુદ્ધાત્માનું ધ્યાન રહે, શુદ્ધાત્માની આરાધના એ જ શુદ્ધાત્માની રમણતા છે. શુદ્ધ ઉપયોગ એ આત્મરમણતા કહેવાય. આ પાંચ આજ્ઞા પાલન એય આત્મરમણતા જ છે. 52
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy