SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) અને આત્માના જે ગુણધર્મો છે ને એ જે બોલે છે ને, એને સિદ્ધ સ્તુતિ કહે છે. એ ગાયા કરે તો ઘણું કામ કાઢી નાખે. ૩૫૮ ‘હું અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું.’ ‘હું અનંત જ્ઞાનવાળો છું' દસ-દસ વખત બોલે, ‘અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું,' એવું દસ-દસ વખત બોલે, ક્યાં જઈને પહોંચે ! કેટલો બધો ઉપયોગ થાય ! અને એ તદન શુદ્ધ ઉપયોગ ! સિદ્ધ સ્તુતિ કહી, હોં ! પ્રશ્નકર્તા ઃ સિદ્ધ સ્તુતિ ! દાદાશ્રી : : હા, સિદ્ધ સ્તુતિ. અહીંયા આગળ આ દુનિયા ઉપર સિદ્ધ સ્તુતિ કહી. કોઈ દહાડો બોલેલો કે ? કોઈ દહાડોય નહીં ? આ સિદ્ધ સ્તુતિ થાય તો અનંત સુખ થાય. એ કંઈ અઘરી છે આમાં કંઈ ? ત્યારે રાત તો આપણા બાપની જ છે ને ? કંઈ બીજાનો ભાગ છે મહીં ? પ્રશ્નકર્તા : આપણા બાપની જ ! દાદાશ્રી : કોઈનો ભાગ નહીં ? બાપનો હશેને ભાગ ? પ્રશ્નકર્તા : સહેજેય નહીં. દાદાશ્રી : તું કહું છું ને આપણા બાપની ? કોઈનોય ભાગ નહીં. હેય.. નિરાંતે કલાક ગાઈએ. તને કેમ લાગે છે ? અને અઘરૂં બહુ, નહીં ? આમાં કંઈ અઘરું છે ? પ્રશ્નકર્તા : અઘરું તો નથી, દાદા. દાદાશ્રી : ખાલી એ ટેવ પાડી નથી એટલું જ છે. પ્રેક્ટિસ પાડીએને તો બધું સવળું થઈ જાય એવું છે. પ્રશ્નકર્તા : આત્માના ગુણો આપણી સમક્ષ હોય એ બોલતી વખતે ? ગુણો સમજીને બોલવું પડે ?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy