SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩.૩) નિત્ય ૩૦૯ દાદાશ્રી : નિત્ય છે એવું ? ઓહોહો, નિત્ય તો કેટલાય કાળથી મને અનુભવ છે ! નિત્ય એવું તો. એ અનુભવમાં હું તો જુદો જ અનુભવું છું. આ દેહ જ હું નથી એવું મને લાગે. હું તો કોઈ દહાડો અંબાલાલ નામેય ભૂલી જઉ છું. પ્રશ્નકર્તા એ તો બરાબર છે, કારણ કે પોતે સ્વ-સ્વરૂપે અનુભવે એટલે... દાદાશ્રી : આ જે નિત્ય આપ કહો છો ને કે નિત્ય (અક્ષર) એ તો નાની બાબત છે, એમાં તો કંઈ મોટી વસ્તુ છે નહીં. હું તો એ જગ્યા ઉપર બેઠેલો છું કે જે આત્મા જગતે ક્યારેય પણ જાણ્યો નથી. હું નિરાલંબ (અક્ષરાતીત) આત્મા ઉપર પહોંચેલો છું. જ્યાં શબ્દનું પણ અવલંબન નથી ત્યાં હું પહોંચેલો છું. એટલે તમે મને ગમે એમ કરો, ગાળો ભાંડો, મારો, ગમે તે કરો પણ મને પહોંચી શકી નહીં. કશું જ થાય નહીં એને, એવો આત્મા છું. નિત્ય તો નાના છોકરાં પણ સમજે એવી વસ્તુ છે. તે એમાં બીજી સમજવાની વસ્તુ નથી અને પુનર્જન્મ એ નિત્યપણું સૂચવે છે. નાના છોકરાંઓય સમજે છે કે આત્મા નીકળી ગયો. ડૉક્ટરોય નાડી જોઈને જ કહે છે, આત્મા નીકળી ગયો મહીંથી. આ દેહ અનિત્ય (ક્ષર) છે તે પડી રહ્યો અને જે નીકળી ગયો તે નિત્ય છે. મરવાનો ભય જ નહીં એ તિત્ય સ્વરૂપનો અનુભવ પ્રશ્નકર્તા એનો બીજો જન્મ નિત્યપણું સૂચવે છે એ તો સાચી વાત છે જ, પણ એવું તમે શું અનુભવ્યું કે જેથી કરીને તમને નિત્યત્વની પ્રતીતિ છે? દાદાશ્રી : એ નિત્ય સ્વરૂપ લાગે છે ને, એટલે મરવાનો ભો જ નથી લાગતો. એ નિત્ય સ્વરૂપ ઓછું છે કે જેને કોઈ દહાડો એક ક્ષણવાર મરવાનો ભો જ લાગ્યો નથી ? આ બધાની રૂબરૂમાં કહી દઉં છું કે જ્યારે જવું હોય ત્યારે જાવ. પછી એથી વધારે તો નિત્યપણું કેટલુંક.. માઉન્ટ આબુમાં પાલનપુરના એક ભઈ આવ્યા હતા. તે મને કહે છે
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy