SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩.૨) અમર ૨૯૯ દાદાશ્રી : હા, તારે તો મરવાનું નહીંને? ચંદુ મરે. જે જીવે છે, દવાઓ પીએ છે એ મરે. જે જીવે છે એ મરે. જે જીવતો નથી, નિરંતર છે તેને મરવાનું હોતું હશે ? અવિનાશીને મરવાનું હોય ? અવિનાશી થઈને બેઠો છું ને ? ત્યારે ખરું. આ જ્ઞાન લીધા પછી ફરી મરવાનું ના હોય, એનું નામ અમર. આ અમર જ્ઞાન જેને થયા કરે, એને મરવાનો ભો ના લાગે. બધા કેટલાય માણસો એવા રેગ્યુલર સ્ટેજ પર આવ્યા છે. આપણે કંઈ જ્ઞાન લીધેલા માણસ મરવાના તો નથીને ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા ઃ ના. દાદાશ્રી : દેહ મરે આ, પોતે તો આત્મા છે. મરવાનો સવાલ જ ક્યાં રહ્યો હવે ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : તું મરું ખરો ? પ્રશ્નકર્તા : ના મરું. દાદાશ્રી: હંઅ, જુઓ, અમર થઈને બેઠા છે ને ! ત્યારે હવે રોફ મારે છે. અમરપદધારીને ભય શાને? પ્રશ્નકર્તા : ખરું છે દાદા, અમને હવે મરણનો ભય પણ નથી લાગતો ! દાદાશ્રી : તમને મનમાં એમ છે કે દાદા છે મારી સાથે. એટલે ભય નથી રહેતો. અને આપણે શુદ્ધાત્મા થયેલા છીએ. અમરપદ લીધું છે ! અમરપદને ભય શો ? તમને તો અમરપદ આપી દીધું છે. મરશે તો દેહ મરશે, આપણે અમર જ છીએ.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy