SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ (૮.૪) સ્વપરિણામ-પરપરિણામ ૨૨૯ એ.એમ.પટેલ'ની જે વૃત્તિઓ છે અને જે એમની એકાગ્રતા છે તે પરરમણતા નથી ને “પરપરિણતિ” પણ નથી. નિરંતર “સ્વપરિણામમાં જ મુકામ છે ! નિરંતર “સ્વપરિણામ” વર્લ્ડમાં કો'ક વખત, હજારો-લાખો વર્ષે હોય ! “સ્વરમણતા” અમુક અંશે થાય, પણ સર્વાશે સ્વરમણતા અને તેય સંસારી વેશે ના હોય. એટલે આશ્ચર્ય લખ્યું છે ને ! “અસંયતિ પૂજા નામનું ધીટ આશ્ચર્ય છે આ ! અમે સંસારમાં જ રહેતા નથી, એક ક્ષણવાર પણ અમે સંસારમાં રહ્યા નથી. સંસારમાં રહેવું એટલે પરપરિણતિ કહેવાય. અમે સ્વપરિણામમાં હોઈએ, નિરંતર મોક્ષમાં જ હોઈએ. ઉઘાડી આંખે જ હોઈએ, જ્યારે આખું જગત બંધ આંખોમાં છે. અમારે તો “આત્મા” આત્મપરિણામમાં રહે અને “મન” મનના પરિણામમાં રહે. “આત્મા’ સ્વપરિણામમાં પરમાત્મા છે. બન્ને પોતપોતાના પરિણામમાં આવે અને પોતપોતાના પરિણામને ભજે, તેનું નામ મોક્ષ. પ્રશ્નકર્તા ઃ અમને દાદા ભગવાનના દર્શન કરવાનો ભાવ થયો હોય એ ભાવ સ્વભાવમાં આવે ખરો ? દાદાશ્રી : સ્વભાવમાં લાવવાના પરિણામ છે. એયે પરિણામ છે, પર પરિણામ છે. સ્વભાવમાં લાવવાના પરિણામ છે, એટલે એ હિતકારી કહેવાય.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy