SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) નથી જ થતી, પરઉપયોગય જતો નથી. આ કારણ) કેવળજ્ઞાન આપ્યું છે તેનું આ તમને રહે છે. પ્રશ્નકર્તા કેવળજ્ઞાનમાં નિજપરિણતિ કેવી હોય ? દાદાશ્રી : જ્યાં સુધી નિજપરિણતિની સાથે છે ને પરપરિણતિને ઠેલે છે ત્યાં સુધી પરિણતિ રહે, પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પરિણતિ રહેતી નથી. સ્વપરિણતિ ઉત્પન્ન થઈ એ સમયસાર એક ક્ષણ પણ સ્વપરિણતિ ઉત્પન્ન થાય એને સમયસાર કહ્યો. એક સમય પણ સમયસાર ઉત્પન્ન થયો તેને કાયમને માટે એ થઈ ગયું, કહે છે. તેને કાયમ એ રહે જ. અને આ સમયસાર ને નિયમસાર સમજી શકે એવો વર્લ્ડમાં કોઈ માણસ જન્મ્યોય નથી અત્યારે. એ સમયસારનો અર્થ જુદો જ કરી નાખ્યો ! એને પછી તપસારમાં લઈ ગયા. પ્રશ્નકર્તા ઃ સમય એટલે આત્મા કહે છે ? દાદાશ્રી : સમયસાર કોને કહેવાય કે નિરંતર નિજ ઉપયોગમાં રહ્યો. નિજપરિણતિ એને સમયસાર કહેવામાં આવે છે. એ તમને ઉત્પન્ન થયેલો છે. આ તમને ધર્મસાર તો પ્રાપ્ત થઈ ગયો પણ સમયસારેય પ્રાપ્ત થઈ ગયો. આ જગતમાં બે પ્રકારના સાર છે; સમયસાર અને ધર્મસાર. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ગયા એટલે ધર્મસાર પ્રાપ્ત થઈ ગયો. અને સ્વાભાવિક પરિણતિ ઉત્પન્ન થઈ, સ્વપરિણતિ એટલે સમયસાર ઉત્પન્ન થયો. સમયસાર એટલે, આ મિનિટનો બહુ નાનામાં નાનો ભાગ. તેનો સાર પ્રાપ્ત થયો, કહે છે. તે તમને સમયસાર પ્રાપ્ત થયો છે. પણ હવે તમારે શું, કે આ આપણું કાયમ માટે રહે એવું કરવું છે. તેમાં જે પાછલું
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy