SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) આત્મપરિણતિ જાણે, તો સ્વ-પર પરિણતિ ખ્યાલમાં આવે આ બધા પ૨પરિણતિમાંય નથી. કારણ કે સ્વપરિણતિને ઓળખે તો પરપરિણતિમાં રહ્યો કહેવાય. સ્વપરિણતિને ઓળખતો નથીને, તો પરપરિણતિ શાને ? ૧૯૬ પ્રશ્નકર્તા : સ્વપરિણતિમાં નથી, પરપરિણતિમાંય નથી તો પછી શેમાં છે ? દાદાશ્રી : પરિણતિ તો આત્માની પરિણતિને જાણે, તેમાં ન રહેવાય તો પોતે પરપરિણતિમાં છે એમ ખ્યાલમાં રહે અને આ તો વાતવાતમાં પરિણિત બોલે. પ્રશ્નકર્તા : આખા દિવસમાં પચાસેક વખત તો આવતું હશે, શુભ પિરણિત, અશુભ પિરણિત એવું બધું. દાદાશ્રી : હવે પરિણતિમાં શુભ ને અશુભ હોતું નથી. આ નવી જાતનું તોફાન ! પ્રશ્નકર્તા ઃ સ્વ અથવા તો પર બેમાંથી એક હોય છે. દાદાશ્રી : બસ, સ્વ-પર પરિણતિ છે. જો આત્માની પરિણતિમાં છે તો સ્વપરિણતિ અને નહીં તો પુદ્ગલ પિરણિતમાં છે. એ જે જાણે છે કે આ આત્મ પરિણતિ છે, માટે મારી આ પુદ્ગલ પિરણિત છે. તેને પરિણિત છે, બાકી બીજાને પરિણિત કેવી ? પ્રશ્નકર્તા : આ પરપરિણામ જાણે તો તરત જ પાછો સ્વપરિણામમાં આવી જાયને ? દાદાશ્રી : સ્વપરિણામમાં ના આવી શકે તોય વાંધો નહીં પણ સ્વપરિણતિને જાણતો હોય એ પરપરિણતિ ક્યારે ખસે તેવા પ્રયત્નમાં હોય. ક્યારે પરપરિણતિ જાય એવા પ્રયત્નમાં હોય. પ્રશ્નકર્તા : તો દાદા, એ લોકો બીજાને કહે કે તમે પ૨પરિણતિમાં છો, તો પોતે ના હોય ત્યારે જ કહેને ?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy