SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જતા વિઘ્નો અનેક પ્રકારના છે, તે પોતાની શક્તિથી ઓળંગીને મોક્ષે જાય. પછી એ શક્તિઓનો સ્ટૉક એની પાસે રહે. સેલ્ફનું રિયલાઈઝ કર્યું કે અનંત શક્તિ પ્રગટ થઈ ગઈ. મનથી કે દેહથી નિર્બળતા લાગે તો “હું અનંત શક્તિવાળો છું” બોલાવીને તો શક્તિ પ્રગટ થઈ જાય. આત્માની અનંત શક્તિ છે. જે બાજુ જેટલી ફેરવવી હોય, એટલી ફેરવી શકાય. પણ શું થશે કહ્યું કે શુંયે થઈ જાય ! તે આત્મા પાસે શક્તિ માગને, અંદર જ છે. કાં તો આત્માને ઓળખ અને તે રૂપ થા, તો શક્તિઓ વ્યક્ત થાય. [૩.૨] અતંત ઐશ્વર્ય આત્મા પરમ ઐશ્વર્યવાળો છે, પણ પોતાને એનું ભાન જ નથી. આવરણને લઈને બધું ઐશ્વર્ય રૂંધાયું છે. જેટલા અંશે લાઈટ નીકળે એટલા અંશે એને ફળ મળે છે. આત્મા તો સર્વાશ જ છે. અંશરૂપે હોય તો સર્વાશ થાય જ નહીં. પણ જ્ઞાની પુરુષે સર્વાશ આત્મા પ્રગટ થયેલો જોયો, બધામાં તે સ્વરૂપે જ છે. અનંત શક્તિ છે, અનંત ઐશ્વર્ય છે પણ પોતાને ખ્યાલ નહીં હોવાથી ચિંતા-ઉપાધિ-મુશ્કેલીઓ ભોગવવી પડે છે. બાકી કોઈ કોઈનો ઉપરી છે નહીં. મનુષ્ય મૂળ સ્વરૂપે પરમાત્મા જ છે. પોતાનું અનંત ઐશ્વર્ય પ્રગટ થાય તેમ છે, પણ ઈચ્છા કરી કે મનુષ્ય થઈ ગયો. દાદાશ્રી જ્ઞાનવિધિ કરાવે છે, તે આખું કેવળજ્ઞાન જ છે. બે કલાકમાં મોક્ષ આપે એવું ગજબનું ઐશ્વર્ય એમનું પ્રગટ થયેલું છે. જગતના લોકોને આ દાદાનું ઐશ્વર્ય ખ્યાલમાં આવ્યું નથી. આ કાળમાં ભેદવિજ્ઞાની પ્રગટ્યા તે મોટું આશ્ચર્ય છે ! લાખો અવતારે ઠેકાણું ના પડે, તે બે કલાકમાં દૃષ્ટિ ફરી જાય છે ને આત્મજ્ઞાન થઈ જાય છે. જ્ઞાનવિધિમાં પોતાને ‘હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ બેસી જાય છે. 26
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy