SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) એને, પણ આ તો સ્પર્શય ના થાય. ભેગું રહેવા છતાં સ્પર્શે નહીં, અસ્પૃશ્ય છે. ત્યારે એ આત્મા કેવો ? ટંકોત્કીર્ણ ! પ્રશ્નકર્તા ઃ એનો અર્થ જળ-કમળ-વત્ ગણાય ? દાદાશ્રી : ના, જળકમળવતેય નહીં. એ બધા પ્રભાવ પાડે છે એકબીજા ઉપર. આ તો પ્રભાવેય ના પાડે. સર્વે અવસ્થાઓમાં આત્મા અપર્ય આત્મા-અનાત્માનો અસ્પૃશ્ય સ્વભાવ છે પણ અનાદિની ભ્રાંતિ છે. માન્યતામાં જ ભૂલ છે કે આ હું છું, એ રોંગ બિલીફ છે. એટલે અવસ્થાઓ બદલાયા જ કરે છે, પણ દરેક અવસ્થાઓમાં મારું જ્ઞાન મેલું થતું નથી. જાનમાં, લગ્નમાં, ઘરમાં, માર્કેટમાં, બહાર બધે અસ્પૃશ્ય સ્વભાવ છે. આત્મા અસ્પૃશ્ય સ્વભાવવાળો છે. આત્મા રાગેય કરતો નથી છતાં તે અહંકાર કરે છે કે મેં રાગ કર્યો. લોકો એમ માને છે તેમ જો આત્મા ભોગવતો હોય તો એક જ વખત ભોગવે તો પુદ્ગલ થઈ જાય. આત્મા ક્યારેય વિષય ભોગવતો જ નથી. વિષયથી જુદો છે, બધાથી જુદો જ છે આત્મા. આત્મા કોઈ વસ્તુને સ્પર્શ કરે એવો છે જ નહીં. અસ્પૃશ્ય છે, નિર્લેપ જ છે, એ અસંગ જ છે, કાયમને માટે પણ એ સમજમાં બેસ્યા વગર કામ ના લાગે. એ પૂરેપૂરું સમજી લેવું જોઈએ. આ તમને જે આજ્ઞા આપી છે, એ આરાધન કરતા કરતા એનું ફળ એ આવીને ઊભું રહેશે. શુદ્ધાત્મા તો થઈ ગયા પણ હવે શુદ્ધાત્મા પછી જે આરાધન આપ્યું એનું ફળ અસ્પૃશ્ય અને નિરાલંબી આત્મા આવશે. એટલે આપણે શું કહીએ છીએ “હું શુદ્ધાત્મા છું', હું સર્વ પાપોથી નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. હું સંપૂર્ણ નિષ્પાપી એવો શુદ્ધાત્મા છું. પાપ-પુણ્ય મને ક્યારેય સ્પર્યું નથી અને માન્યતાએ કરીને હું અશુદ્ધ હતો, તે હવે હું શુદ્ધાત્મા છું. હું પાપી હોય નહીં, કોઈ દહાડો પાપ મને વળગ્યેય નથી, એવો હું છું. જેમ ગામ લક્ષમાં રાખે, કે મારે અમદાવાદ જવાનું છે ને પછી આખા હિન્દુસ્તાનમાં ફરે તોય મારે જવાનું
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy