SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) શકે ? ત્યારે કહે છે, કે એ આત્મા વિષયથી જુદો છે, બધાથી જુદો છે. આત્મા સૂક્ષ્મ છે બિલકુલ, અને આ જે વિષયો છે તે સ્થૂળ સ્વભાવના છે. બેઉને કોઈ દહાડોય મેળ પડ્યો નથી. એ જ્ઞાની પુરુષ જાણે, પણ એ ફોડ પાડે નહીં. તીર્થકરો ફોડ પાડે નહીં. તીર્થકરો જો ફોડ પાડેને, તો લોકો દુરુપયોગ કરે. અમે ફોડ પાડીએ તે ગુપ્ત રીતે, આટલામાં જ અમુક જ માણસો માટે. નહીં તો પછી એનો દુરુપયોગ ચાલે. સૂક્ષ્મ સ્વભાવનો છે, હવે કશો વાંધો નથી. તે ભૂત પેઠું પાછું ! આપણે તો પોલીસવાળો પકડે અને તમે માંસાહાર ના કરતા હોય તોય તમને ત્રણ દહાડાથી ખાવાનું ના આપે ને કહેશે, માંસાહાર કરો. તો એ માંસાહાર કરવું પડે, તો તે તમને ગુનેગાર તરીકે નોંધવામાં ના આવે. કારણ કે પોલીસવાળાના આધારે તમારે કરવું પડે છે. એવું કર્મોના દબાણથી આ ક્રિયા થયા કરે છે. તેમાં આ સ્થૂળ ક્રિયા છે, તમે સૂક્ષ્મ છો, પણ જો આ જ્ઞાન તમારા મનમાં રહે કે આત્માને કશું અડતું જ નથી, તો ઊંધું કરી નાખે. એટલે અમે આવું બહાર ના પાડીએ કે આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે. વિષયોથી ડરો એમ કહીએ. વિષયો એ વિષ નથી, પણ નીડરતા એ વિષ છે. નીડરતા, મને કંઈ વાંધો નથી હવે, એ સંપૂર્ણ જ્ઞાની થયા પછી, એને અનુભવ જ્ઞાન થાય ત્યાર પછી. આ તો અમે તમને ફોડા પાડવા સમજણ પાડીએ. આત્મા કોઈ વસ્તુને સ્પર્શ કરે એવો છે જ નહીં, અસ્પૃશ્ય છે. એ નિર્લેપ જ છે, કાયમને માટે અસંગ જ છે, પણ એ સમજમાં બેસ્યા વગર કામ ના લાગે. એ પૂરેપૂરું સમજી લેવું જોઈએ. શુદ્ધાત્માપદ ઃ અસંગ - તિર્લેપ - નિઃશંક હવે તમારું શુદ્ધાત્માપદ ક્યારેય લેપાયમાન ના થાય એવું છે, ને ચંચળતા અડે નહીં. કારણ કે લક્ષ બેઠું છે. નિર્લેપ, અચળ આત્મા પ્રાપ્ત થાય તો જ લક્ષ બેસે, બાકી એમ ને એમ બોલે તો કશું વળે નહીં. આ આપણું સાયન્સ છે ને, તેથી આપણે એમ કહીએ છીએને કે હવે તું શુદ્ધાત્મા છું અને સંસારમાં રહ્યો છું, તેની શંકા ના કરીશ. કારણ
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy