SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ નિજ અવસ્થાને પણ શેય તરીકે જોતા તત્ત્વસ્વરૂપી જ્ઞાન પોતે જ પરમાત્મા થાય છે. આ ચંદુભાઈ એ જ નિજ અવસ્થા છે, એને પોતે અવસ્થા રૂપે જુઓ, તો પોતે જ પરમાત્મા છે. જોવું-જાણવું એ પોતાનું કામ અને ચંદુભાઈનું ક્રિયાનું કામ. અક્રમ વિજ્ઞાન દ્વારા પરમ પૂજ્ય દાદાશ્રીએ મહાત્માઓને તો કેવળજ્ઞાન સ્વરૂપી મૂળ આત્મા પ્રાપ્ત કરાવ્યો છે. અનંતા જ્ઞેયોને જાણવામાં... એ વાક્ય સમજવામાં અઘરું છે છતાં એ વાક્યમાં એટલું બધું બળ છે કે બોલતાની સાથે જ પોતે પૂર્ણ કેવળજ્ઞાન સ્વરૂપ થઈ જાય. [3] અનંત શક્તિ [3.૧] અત્યંત શક્તિઓ કઈ ? કેવી ? આત્માને અનંત શક્તિનો ધણી કહ્યો છે, તો એ શક્તિ શું છે ? કઈ છે ? કેવી છે ? આપણને કેવી રીતે એ અનુભવમાં આવે, એવો હંમેશાં સાધક, મુમુક્ષુ કે મહાત્માને પ્રશ્ન થયા જ કરતો હોય છે. આત્માની અનંત શક્તિઓ જે છે, તે મિકેનિકલ શક્તિ નથી. મિકેનિકલ શક્તિ તો મિશનરીમાં હોય. ખાવાનું (ઇંધણ) નાખો, હવા પૂરો તો મશીન ચાલે, નહીં તો બંધ થઈ જાય. એ મિકેનિકલ શક્તિ જડની છે અને આત્મા એ (ખરેખર) અનંત શક્તિવાળો પ૨માત્મા છે. એ આવી ક્રિયા નથી કરતો. જબરજસ્ત જ્ઞાનક્રિયા-દર્શનક્રિયા હોય. આવી ચાલવાની-બોલવાની શક્તિ આત્માની નથી અને જે શક્તિ છે, એ લોકો જાણતા નથી. આખું બ્રહ્માંડ ધ્રૂજાવે એટલી શક્તિઓ એની છે. આખી દુનિયામાં જેટલા જીવો છે, એ બધા જીવોની પ્રગટ થયેલી શક્તિઓ ભેગી કરો તો એટલી શક્તિ એક આત્મામાં છે. આત્મામાં પરમાત્માપણાની શક્તિ છે, પણ (વ્યવહારમાં) એક શેક્યો પાપડ ભાંગવાની શક્તિ નથી. જડમાંય શક્તિ છે. આ અણુને તોડીને અણુબૉમ્બ ફોડેલા, એ શક્તિઓ બહાર પડી છે. જ્યારે પ૨માણુમાં શક્તિ ખરી, પણ પરમાણુ 22
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy