SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) પ્રશ્નકર્તા : જગત જીતવું સહેલું છે પણ એક સમય પણ અસંગ રહેવું મહા વિકટ છે. દાદાશ્રી : જગતમાં જીતવું સહેલું છે પણ એક સમય પણ અસંગ રહેવું મહા વિકટ છે. હવે એ તમને જ્ઞાન આપીએ ત્યારે અસંગ રાખીએ છીએ. પ્રશ્નકર્તા ઃ અસંગ રાખો છો, બરાબર છે. દાદાશ્રી : હા, એક સમય જ, વધારે નહીં. દાદાકૃપાએ મહાત્માઓ હઉ વર્તે નિરંતર અસંગપણે હવે એ અસંગમાં તમે કેટલો સમય રહેતા હશો બધા ? પ્રશ્નકર્તા : નિરંતર ! દાદાશ્રી : નિરંતર અસંગ રહો છો. હું તો નિરંતર અસંગમાં રહું છું પણ આ (મહાત્માઓ) હઉ નિરંતર અસંગમાં રહે છે. હવે આ સંસારમાં સંગમાં રહેવું અને અસંગ રહેવું તે એક સમય પણ, એક મિનિટ પણ અસંગ રહી શકે નહીં કોઈ માણસ. આ તમને તો મેં કાયમના અસંગ બનાવ્યા. તેથી તમને કર્મ અડતા નથી. હું તો થયો તે થયો પણ તમને હઉ બનાવ્યા. કૃપાળુદેવે શું કહ્યું? કોને કોને વશ થાય ? શું ગુણો હોય? તો કહે પળનો નાનામાં નાનો ભાગ એટલું જો કદી અસંગપણે વર્યા આ જગતથી તો, આખા ત્રિલોકને વશ કરવા કરતા એ કઠિન છે, કહે છે. અને આ દાદા તો નિરંતર (અસંગ) રહે છે. હું કહું છું, કે ભગવાન મને વશ થઈ ગયેલા છે, ચૌદ લોકનો નાથ વશ થયેલો છે. અમથા હાથ અડાડી જશોને તોય કલ્યાણ થઈ જશે. આખી દુનિયાનું કલ્યાણ કરવા નીકળ્યા છીએ. સંગી ક્રિયાઓને પોતાની માતવાથી છે બંધત પ્રશ્નકર્તા : મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાથી હું તદન અસંગ છું, એ વધારે સમજાવશો.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy