SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) ને બહાર શાતા હોય, પણ આપણને મહીં શાતા રહે છે એ જ આત્મા. શાતા ખસે નહીં એ જ જોવું, બસ. બીજું કશું જોવું નહીં. શાતા ખસી કે ફરી શુદ્ધાત્માનું ગાયા કરવું, બીજા કશામાં પડવા જેવું જ નથી. સમભાવે ફાઈલોનો નિકાલ કરવો. સુખ-દુઃખતી અસરોથી મુક્ત એ જ આનંદ પ્રશ્નકર્તા ઃ દાદા, સત્-ચિત્ત અને સ્વરૂપ સમજાય છે પણ આનંદ પકડમાં નથી આવતું. દાદાશ્રી : એ તો અમારી આજ્ઞા પાળે તો નર્યો આનંદ જ હોય. આજ્ઞા પાળનાર જોઈએ. કોઈ દહાડોય ગૂંચાય નહીં ને આનંદ રહે. તમને શું રહે છે ભઈ, “હું શુદ્ધાત્મા છું' એ રહે છે ? પ્રશ્નકર્તા: હા, અખંડ(પણે). ગમે તેવા સંજોગોમાં ચિંતા-દુઃખ ના રહે પણ પરમ આનંદ સ્વરૂપ શું છે એ બરોબર હજુ પકડમાં આવતું નથી. દાદાશ્રી : દુઃખમાં જે આનંદમય સ્થિતિ રહે, એનું નામ આનંદ કહેવાય. પ્રશ્નકર્તા દુઃખ તો ઊડી જ જાય છે આમ. દાદાશ્રી : એ જ આનંદ. આનંદ હોય ત્યારે સુખ ને દુઃખની અસરો ઊડી જાય, એનું નામ આનંદ. જગત વિસ્તૃત કરાવડાવે, એનું નામ આનંદ કહેવાય. પ્રશ્નકર્તા: તો ઉદાસીનતા છે એને ને આનંદને કેટલું છેટું ? દાદાશ્રી : બહુ છેટું. ઉદાસીનતા એ વૈરાગ્યમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે અને આનંદ તો જ્ઞાનની વસ્તુ. આ તો અમારા જ્ઞાનનું ફળ, તે ઉદાસીનતા જોઈ ના હોય તોય, વૈરાગ્ય જોયો ના હોય તોય. વધે-ઘટે તે આનંદ પાડોશીતો, સ્વાભાવિક તે આત્માતો પ્રશ્નકર્તા ઃ ક્યારેક આનંદ-ઉલ્લાસનો અતિરેક થાય તો એ આત્માનો ?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy