SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ (૨.૨) અનંતા જ્ઞેયોને જાણવામાં... શુદ્ધ છું અર્થ થાય. નહીં. ૩૩ પ્રશ્નકર્તા : તો પછી એ જ્ઞેયને કારણે પ્રગટ થયું એમ થયુંને ? એવો દાદાશ્રી : જ્ઞેયને લેવાદેવા નહીંને ! જ્ઞેયને અને એને લેવાદેવા તત્ત્વ હોય ગુણ-અવસ્થા સહિત જ પ્રશ્નકર્તા : હવે એ કહોને, અનંતી અવસ્થા એટલે ? દાદાશ્રી : જ્ઞેયો અનંતા એટલે અવસ્થાઓ અનંતી થાય. પ્રશ્નકર્તા ઃ બરોબર, પણ એને અનંતી અવસ્થા કેમ કીધી ? દાદાશ્રી : આત્માનેય અવસ્થાઓ છે, અનંત અવસ્થાઓ છે. અનંત શેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. ભગવાન કહે છે, જેટલા તત્ત્વો છે તે બધાનેય ગુણ હોય અને તેની અવસ્થા હોય. જો અવસ્થા ના હોય તો તે તત્ત્વ નહીં. આત્માની અનંત અવસ્થાઓ છે. દહાડે અહીં મોટરો-ઘોડાગાડી, દોડધામ ચાલુ હોય ત્યારે સિદ્ધ આત્માની અવસ્થાઓ ઘણી બધી વધી જાય ને રાત્રે ટાઢું પડે ત્યારે ઓછું થઈ જાય. અનંત જ્ઞેયો એટલે અનંત અવસ્થાઓ. સામાન્યભાવે જોયું તો છૂટયું, વિશેષભાવે ચોંટયું અને તે અવસ્થાઓ બદલાયા જ કરે છે, જાનમાં, લગ્નમાં, ઘરમાં, માર્કેટમાં પણ દરેક અવસ્થાઓમાં મારું જ્ઞાન મેલું થતું નથી. અવસ્થાઓ નિરંતર ફર્યા કરે છે. એક આમ આ કેરીને જોઈ અને પછી પાછું બીજું જુએ, ત્રીજું જુએ, ચોથું જુએ એ પર્યાય. અવસ્થાઓ બધી ફર્યા કરે છે. એ જ્ઞાનની અવસ્થાઓ શુદ્ધ ને શુદ્ધ જ રહે છે. આ બધા જ્ઞેયો જોઈએ તેથી કરીને બધી એવી અવસ્થા થઈ જાય, પણ આપણે શુદ્ધ જ છીએ. આપણી શુદ્ધતાને કશી હરકત આવતી નથી. જલેબી જોઈ કે ગમે તે જોયું તેથી શુદ્ધતાને હરકત આવતી નથી. એ જલેબી જુએ ને એમાં તમે મારાપણું કરો ને મોહ કરો તો જ નુકસાન
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy