SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ) આપ્તવાણી-૧૪ (ભાગ-૪) આ વાક્ય બહુ લોકો સમજ્યા વગર ગાય છે, પણ ગાય છે ખરા. સમજાય નહીંને હમણે. હવે એ સમજવું સહેલું ઓછું છે ? પ્રશ્નકર્તા દાદા, કૃપા કરી આ વાક્ય સમજાવોને ! દાદાશ્રી : એ તો સમજાવીએ ખરા પણ એ તો ભાષામાં (સંપૂર્ણ) સમજાવાય નહીં. ભાષાના શબ્દોથી સમજાવીએ એ તો, પણ આ વાક્ય એવું છે કે એ ત્યાં પોતાની જાતે પહોંચવું પડશે સમજવા માટે. એ વાક્ય સમજાશે ત્યારે તો દાદાના આ જ્ઞાનની પૂર્ણાહુતિ થશે. આ સો ટકા, એક્ઝક્ટ સાયન્સ છે ! “અનંતા જોયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાગ શુદ્ધ છું.” આ વાક્ય સમજી જાય તે અહીંયા પરમાત્મા થઈ જાય. અત્યારે મહાત્માઓને ગોખાવ્યું છે. ખુદ પરમાત્મા સિવાય આ વાક્ય કોઈ બોલી ન શકે. સંસારથી અબંધ રહેવાની બધી જ સામગ્રીઓ આપી દીધી છે. આ તો જે આત્માના અનુભવમાં રહેતા હોય તે જ સમજે. અને એ સમજાવી શકે ખરા, પણ લોકોને ના સમજણ પડે. જેને સમજણ પડે, એ બીજાને સમજાવી શકે. જગત ભરાયેલું છે અતંત શેયોથી પ્રશ્નકર્તા: હવે એક-એક શબ્દ લઈ અને એને (વિસ્તારથી) કહો. અનંતા શેયોને વાળું વાક્ય સમજાવો. દાદાશ્રી : આ બધી જેટલી વસ્તુઓ છે ને, એ બધી શેયો છે. કેટલાક તો નથી દેખાતા આપણને, થોડા-ઘણા જ દેખાય છે. આ જગત બધું જોયોથી જ ભરેલું છે. અનંતા શેયો, સંખ્યાત નહીં, સંખ્યાત હોય તો ગણી કાઢીએ. અસંખ્યાતેય નહીં, અનંતા. પ્રશ્નકર્તા ઃ અંત જ નહીં ? દાદાશ્રી : હા. શેય કેટલીક ચીજો હશે ? અનંતી છે. ગણતરી ના થાય. અગણિત નથી, સંખ્યાત નથી, અસંખ્યાત નથી, માટે એને “અનંત કહી. એટલે અનંતા શેયોને જાણે આત્મા.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy