SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ (૩.૧) પાવર ચેતનનું સ્વરૂપ પ્રશ્નકર્તા એકલું જડ એવું ન કરે પણ પાવર ચેતન એવું કરે. દાદાશ્રી : જડ તો કશું કરે જ નહીં. જડ એના સ્વભાવમાં હોય. પણ આ “પાવર ચેતન છેને, તે તો ગાળો ભાંડ, ઢેખાળો મારે, બધુય કરે. કલેક્ટર હલ થાય, વડાપ્રધાન થાય. આ પાવર ચેતન, દરઅસલ ચૈતન્ય નહીં. પ્રશ્નકર્તા એટલે ભાવનિદ્રામાં છે અને પાવર ચેતન કહીએ છીએ? દાદાશ્રી હા, ભાવનિદ્રાનું. પ્રશ્નકર્તા: દાદા, એવું ના કહેવાય કે આ જે જડ અને ચૈતન્ય, બે જોડે આવવાથી સામીપ્યભાવ આવ્યો અને જે વિશેષભાવ થયો એ પાવર ચેતન કહેવાય ? દાદાશ્રી : હા, વિશેષભાવ એ જ પાવર ચેતન. ચેતન નથી છતાં ચેતન જેવું દેખાય છે બધું આ. આ દુનિયાના બધાંય પૂતળાં ચેતન નથી છતાં ચેતન જેવા દેખાય છે. એટલે આપણા લોક કહે છે, “મને આણે આમ કર્યું, આણે તેમ કર્યું. કોર્ટે ચાલે છે, કોર્ટમાં મેજિસ્ટ્રેટેય ચેતન નથી, છતાં ચેતન જેવા દેખાય અને ગાડું ચાલ્યા કરે છે. પ્રશ્નકર્તા એટલે આ જડ છે ત્યાં આગળ પાવર ચેતન આવે તો ચેતનની હાજરીમાં જડ છે તે કંઈક જીવંત રીતે કામ કરતું દેખાય એવું ખરુંને? દાદાશ્રી : ચેતનની હાજરીમાં જડ શક્તિ એટલી બધી ઉત્પન્ન થાય છે કે ફાવે એ બધું કરી શકે. એ જીવતા માણસ જેટલું કૂદાકૂદ કરે. પ્રશ્નકર્તા: જેમ કે આમ આપણું શરીર ચાલે છે તો આત્મા તો કંઈ કરતો નથી એટલે આત્માની હાજરીમાં શરીર કામ કરી રહ્યું છે. દાદાશ્રી : આત્માની હાજરીમાં આમાં અંદર પાવર ઉત્પન્ન થાય છે. આ શરીરમાં પાવર પેસે છે અને પાવર છે જ્યાં સુધી, પેલી બેટરી ચાર્જ છે ત્યાં સુધી પાવરથી ચાલે છે. ફરી પાવર ના ભરાવે તો બૅટરી ઊડી જાય.
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy