SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) તો ક્રમિક માર્ગમાં શીખવાડે છે શબ્દો. કયા આધારે ‘તું ચંદુભાઈ છું’ અને કયા આધારે તેં ઘર બાંધ્યું અને આ કર્યું ને તે કર્યું, એ બધું કયા આધારે ? એ ઉપચાર વ્યવહારથી. ૬૮ ઉપચાર નથી કરતા ? આ ખાવા-પીવાનું એ બધું ઉપચારથી નથી કરતો ? બધા ધંધા કરો છો એ ઉપચારથી, બૂટ પોલિશેય ઉપચારથી. ઉપચારથી એટલે શું કહેવા માગે છે કે ભમરડા ષ્ટિથી ઘર-નગર આદિનો કર્તા છે. ઉપચાર છે એટલે ટૉપ્સ (ભમરડા) છે, ટી-ઓ-પી-એસ. અને અનુપચરિત વ્યવહારથી એ ટૉપ્સ નથી. ‘હું જઉં છું ને આવું છું’ એ ઉપચાર છે. કારણ કે ચિરત થઈ ગયું છે તે ઉપચિરત થાય છે. ચિરત તેના ઉપરિત થાય છે અને ફંક્શન (કાર્ય) કરવું હોય તો ઔપચારિક કરવું પડે. ઉપરતનું પછી ઔપચારિક. ચરિત તો થઈ ગયેલું છે અને હવે ઉપરિત. એ કહે છેને, ઉપચાર માત્ર છે આ બધું. અજ્ઞાનતામાં આત્મા (વ્યવહાર આત્મા) અનુપચરિત વ્યવહારથી દ્રવ્યકર્મનો કર્તા છે. અનુપચરિત વ્યવહાર એટલે જેમાં ઉપચાર પણ કરવો નથી પડતો, કોઈ જાતનો, એની યોજના થઈ નથી, ડિઝાઈન થઈ નથી, તે અનુપરિત વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. અને સ્વરૂપનું ભાન થયે કાયમ સ્વપરિણામી છે. એમાં એ કંઈ વિકૃત થયો નથી. વિકૃતિ જો થાય તો બદલાઈ જ જાય, ખલાસ થઈ જાય. આટલું જ સમજાય તો કામ થાય. હવે લોકોને શી રીતે સમજણ પડે આ બધી વાત ? કેમ એવું ના કહ્યું કે વિભાવથી દ્રવ્યકર્મનો કર્તા છે. પ્રશ્નકર્તા : કર્તા છે જ નહીંને ! દાદાશ્રી : તો પછી આત્મા કર્તા નથી તો કર્યું કોણે ત્યારે ? અને કર્તા વગર થાય નહીં. ભલે એ બિનગુનેગાર તરીકે ગુનેગાર ગણાયો હોય, પણ ગુનેગાર તો ખરોને ? બિનગુનેગાર હોય ને ભલે છૂટી જશે કોર્ટમાં, પણ અત્યારે વ્યવહારમાં ગુનેગાર તો કહેવાય છે ને દુનિયામાં ?
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy