SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ બન્યું તે જ ન્યાય કુદરત તો ન્યાયી જ સદા જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી. એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી, કોર્ટો થઈ હશે, કોર્ટમાં બધું ચાલે પણ કુદરત અન્યાયી થઈ જ નથી. કુદરતના ન્યાયને જો સમજે બન્યું તે જાય' તો તમે આ જગતમાંથી છૂટા થઈ શકશો. નહીં તો કુદરતને સહેજ પણ અન્યાયી સમજો કે તમારું જગતમાં ગૂંચાવાનું સ્થાન જ એ. કુદરતને ન્યાયી માનવી, એનું નામ જ્ઞાન. “જેમ છે તેમ' જાણવું, એનું નામ જ્ઞાન અને “જેમ છે તેમ’ નહીં જાણવું, એનું નામ અજ્ઞાન. જગતમાં ન્યાય ખોળવાથી તો આખા જગતને લડાઈઓ ઊભી થઈ છે. જગત ન્યાય સ્વરૂપ જ છે. એટલે આ જગતમાં ન્યાય ખોળશો જ નહીં. જે બન્યું એ ન્યાય. આ કોર્ટો ને બધું થયું, તે ન્યાય ખોળે છે તેથી ! અલ્યા મૂઆ, ન્યાય હોતો હશે ? એના કરતાં શું બન્યું એ જો ! એ જ જાય છે. ન્યાય-અન્યાયનું ફળ એ તો હિસાબથી આવે છે અને આપણે એની જોડે ન્યાય જોઈન્ટ કરવા જઈએ છીએ. પછી કોર્ટમાં જ જવું પડે ને ! કોઈને આપણે એક ગાળ ભાંડી દીધી તો પછી એ આપણને બેત્રણ ભાંડી દે. કારણ કે એનું મન આપણી પર ઉકળતું હોય. ત્યારે લોક શું કહે ? તે કેમ ત્રણ ગાળ ભાંડી, આણે એક જ ભાંડી હતી. તો એનો ન્યાય શું છે ? એણે આપણને ત્રણ જ ભાંડવાની હોય. પાછલો હિસાબ ચૂકતે કરી લે કે ના કરી લે ? કુદરતનો ન્યાય શું? પાછલો હિસાબ હોય એ બધો ભેગો કરી આપે. અત્યારે ધણીને સ્ત્રી હેરાન કરતી હોય, તે કુદરતી જાય છે. ધણી જાણે આ બૈરી બહુ ખરાબ છે અને બૈરી શું જાણે, ધણી ખરાબ છે. પણ આ કુદરતનો ન્યાય જ છે. એ તો આ ભવની પરસેવાની કમાણી પણ પહેલાંનો બધો હિસાબ ૪૩
SR No.030002
Book TitleAatmsakshatkar
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy