SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ થાય. એમનો લાભ ઉઠાવવો હોય તો એડજસ્ટ રહો. આ તો લાભેય કોઈ વસ્તુનો નહીં અને વેર બાંધશે તે જુદું ! દરેક વ્યક્તિના જીવનમાં અમુક પ્રિન્સિપલ (સિદ્ધાંત) હોવાં જ જોઈએ. છતાંય સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ. સંજોગોને એડજસ્ટ થાય, એનું નામ માણસ. એડજસ્ટમેન્ટ જો દરેક સંજોગોમાં કરતાં આવડે તો, ઠેઠ મોશે પહોંચી શકાય એવું ગજબનું હથિયાર છે. ડિસએડજસ્ટમેટ એ જ મૂર્ખાઈ આપણી વાત સામાને “એડજસ્ટ’ થવી જ જોઈએ. આપણી વાત સામાને “એડજસ્ટ' ના થાય તો તે આપણી જ ભૂલ છે. ભૂલ ભાંગે તો “એડજસ્ટ’ થાય. વીતરાગોની વાત “એવરીવ્હેર એડજસ્ટમેન્ટ'ની છે. આ ડિસુએડજસ્ટમેન્ટ’ એ જ મૂર્ખાઈ છે. “એડજસ્ટમેન્ટને અમે ન્યાય કહીએ છીએ. આગ્રાહજૂરાગ્રહ એ કંઈ ન્યાય ના કહેવાય. અત્યાર સુધી એકુંય માણસ અમને ડિસુએડજસ્ટ થયો નથી. અને આ લોકોને ઘરનાં ચાર માણસોય એડજસ્ટ થતાં નથી. આ એડજસ્ટ થવાનું આવડે કે ના આવડે ? એવું થઈ શકે કે ના થઈ શકે ? આપણે જેવું જોઈએ એવું તો આપણને આવડે ને ? આ જગતનો નિયમ શો છે કે જેવું તમે જોશો એટલું તો આવડે જ. એમાં કંઈ શીખવવાપણું રહેતું નથી. સંસારમાં બીજું કશું ભલે ના આવડે તો વાંધો નથી, ધંધો ઓછો કરતાં આવડે તો વાંધો નથી પણ એડજસ્ટ થતાં આવડવું જોઈએ. એટલે વસ્તુસ્થિતિમાં એડજસ્ટ થતાં શીખવું જોઈએ. આ કાળમાં એડજસ્ટ થતાં ના આવડે તો માર્યો જઈશ. એટલે “એડજસ્ટ એવરીવ્હેર’ થઈને કામ કાઢી લેવા જેવું છે. 33
SR No.030002
Book TitleAatmsakshatkar
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy