SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બીજું [ as સૂત્ર-સિદ્ધાંતનાં રહસ્ય સમજાવવાનું કાર્ય આચાર્યનું છે, તે માટે કહ્યું છે કે જે સૂત્ર અને અર્થ નું રહસ્ય બરાબર જાણનાર હોય, અનેક શુભ લક્ષણોથી યુક્ત હય, ગચ્છને માટે મેઢી સમાન હોય અને ગણની ચિંતાથી મુક્ત હોય તે આચાર્ય સૂત્રનાં રહસ્ય પ્રકાશે છે.” ટીકાકારોએ આચાર્ય શબ્દની જે વ્યાખ્યાઓ કરી છે, તેમાંથી બે વ્યાખ્યાઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એક વ્યાખ્યામાં તેમણે કહ્યું છેઃ “આ મા જાતીવ્યારા જે મર્યાદાથી વર્તે છે તે આચાર્ય " અહીં તેમણે મર્યાદા શબ્દથી શાક્ત આચાર સમજવાનું છે, એ ખુલાસે કર્યો છે, એટલે આચાર્યને અર્થ “શાસ્ત્રમાં વર્ણવેલા આચાર પ્રમાણે વર્તનાર” એમ સમજવાનું છે. બીજી વ્યાખ્યામાં તેમણે કહ્યું છે : “વર્ચત બનાવવાર્થઃ” “જે સેવાય તે આચાર્ય અને તેને સ્પષ્ટીકરણમાં કહ્યું છેઃ “સ્ત્રાવનામાર્થ મુમુક્ષુમિતે ફર્થઃ” “સૂત્ર અને તેને અર્થ અથવા સૂત્રને અર્થ જાણવા માટે જે મુમુક્ષુઓ વડે સેવાય " એમ અહીં સમજવાનું છે. તાત્પર્ય કે “મુમુક્ષુઓ જેમના ચરણે બેસીને સર્વજ્ઞ ભગવંતેએ કહેલાં શાસ્ત્રનું રહસ્ય પામી શકે તે આચાર્ય.” જૈન પરંપરામાં આચાર્યને માટે સૂરિ શબ્દ પણ વપરાય છે. उवज्झायाणं સરિતાળ” “પદની જેમ” “૩૧ન્નાયાળ” પદ છઠ્ઠીના બહુવચનમાં આવેલું છે, તેમાં મૂળ શબ્દ “ઉવકજ્ઞા” છે. સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં આ શબ્દને ભાવ ઉપાધ્યાય” શબ્દ વડે આવે છે, એટલે તેને અનુવાદ અનુક્રમે “કદાચઃ " અને * ઉપાધ્યાયને? એ પદે વડે કરેલો છે. વૈદિક સંસ્કૃતિમાં જે બ્રાહ્મણ વેદને એક ભાગ અથવા તે વેદનાં છ અંગે આજીવિકા માટે ભણાવે તેને ઉપાધ્યાય કહેવાય છે. બીદ્ધ સંસ્કૃતિમાં જે શ્રમણ શિષ્યોને સારી રીતે સાચવે અને શાસ્ત્રજ્ઞાન આપે તે ઉપાધ્યાય કહેવાય છે અને જૈન શામાં જે સાધુ અન્ય સાધુઓને સૂત્ર-સિદ્ધાંત તથા પ્રક્રિયાનું જ્ઞાન આપે તેને ઉપાધ્યાય કહેવાય છે. નિક્તિકારે ઉપાધ્યાય શબ્દનો અર્થ કરતાં જણાવ્યું છે કે “જે બાર અંગવાળે સ્વાધ્યાય (અર્થથી જિનેશ્વરોએ પ્રરૂપેલે છે અને સૂત્રથી) ગણધર ભગવંતએ કહેલે છે, તેને શિષ્યને ઉપદેશ કરે છે, તેથી તે ઉપાધ્યાય કહેવાય છે.” નમસ્કાર-મંત્રના એક પ્રાચીન સ્તવનમાં કહ્યું છે કે “બાર પ્રકારનાં અપૂર્વશ્રતને શિષ્યને ઉપદેશ કરનારા, શાસ્ત્રના જાણકાર તથા સ્વાધ્યાય અને ધ્યાનમાં તત્પર એવા ઉપાધ્યાયને સદા નમસ્કાર છે.” ટીકાકાએ ઉપાધ્યાય શબ્દની વ્યાખ્યા અનેક પ્રકારે કરી છે તેમાંની થેડી વ્યાખ્યાઓ આ પ્રમાણે છે :
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy