SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ 120 ] નમસ્કાર અર્થસંગતિ (આને આશય એ છે કે જેઓ આ સમજે છે. તેઓ સિંહની જેમ દીક્ષા લઈ અને સિંહની જેમ પાળે છે અથવા દીક્ષા લેતી વખતે આ સમજણ ન પણ હોય અને પાછળથી આવી જાય તે તેઓને પણ શિયાળની જેમ લઈ સિંહની જેમ પાલન કરનારા ઉત્તમ આત્માઓ કહ્યા છે. દીક્ષા લેતી વખતે આ સમજણ ન હોય અને પાછળથી પણ ન આવે તે તેઓ આ સંસાર અટવીમાં અટવાયા જ કરે છે.) શ્રી ભગવતી સૂત્રની ટીકામાં શ્રી અભયદેવસૂરિ મહારાજાએ નિર્યુક્તિમાં કહેલ પદાર્થ તે લીધે જ છે તે ઉપરાંત કહ્યું છે કે- સર્વ અને સાધુ (સવ arg) એ પદોમાં સર્વ એ તેઓને કહેવામાં આવે છે કે જેઓ સર્વ જી માટે હિતકારક હોય છે, અથવા (સંસ્કૃત). સાર્વ એટલે અહિ તે, તેઓના સાધુ, અથવા સર્વ શુભ યોગોને સાધે તે સાધુ, અથવા સાર્વ એટલે અહિં તેને જ સાર્ધ (જિનાજ્ઞા-પરિપાલન વડે) તે સાધુ, અથવા સાધુપણામાં રહીને કુમતનું ઉત્થાપન કરીને જે અરિહંત-મતની સ્થાપનાને સાથે તે સાધુ, અથવા સદવ એટલે શ્રદઢ (સંસ્કૃત) શ્રવ્ય સાંભળવા ગ્ય જિનવચન તેમાં જે સાધના વડે નિપુણ હોય તે સાધુ અથવા સદન સરા (સંસ્કૃત) સવ્ય એટલે સંયમને અનુકૂળ એવાં કાર્યો, તેમાં સાધના વડે જે નિપુણ હોય તે સાધુ. રો” રો સંસ્કૃત. લોકમાં એ શબ્દને સમજાવતાં ત્યાં કહ્યું છે કે કેવળ પિતાના ગચ્છ વગેરેમાં રહેલા સાધુઓ જ નહીં, પણ સર્વલેકમાં રહેલા (જિનાજ્ઞાને માનનારા) સાધુ ભગવંતોને નમસ્કાર છે. નમસ્કાર સ્વાધ્યાયના ત્રણે ભાગમાં અનેક સ્થળે સાધુપદનું સુંદર વર્ણન છે. તેમાંનું એક સ્થળ નમસ્કાર-સ્વાધ્યાય પ્રાકૃતવિભાગ કુવલયમાલા સંદર્ભ (પૃ. 353) છે ત્યાં કહ્યું ત્રિકરણ ગે હું સાધુ ભગવંતને નમસ્કાર કરું છું, જેથી લાખો ભવમાં બાંધેલા ઘણુ પાપને હું ક્ષણવારમાં વિનાશ કરી શકું. ત્રણ ગુપ્તિથી ગુપ્ત, મિથ્યાત્વ-રહિત, સમ્યફવસહિત, કર્મને કાપનારા અને ઉત્તમ સત્વવાળા સર્વ સાધુ ભગવંતને હું નમસ્કાર કરું છું. પંચસમિતિમાં ઉદ્યમવાળા, માયાશલ્ય વગેરે ત્રણ શલ્યરૂપ મહામઠ્ઠોને હરાવવામાં શરા, ચ૨ પ્રકારની વિકથાથી રહિત, મદ–મેહથી રહિત, ધીર, શુદ્ધ વેશ્યવાળા, કષાય રહિત, જેનું હિત કરનારા, છ પ્રકારના જીવનકાર્યનું રક્ષણ કરવામાં તત્પર, સંસારના કિનારે રહેલા, મૈથુન વગરે ચાર સંજ્ઞાઓથી રહિત અને તેથી પ્રાપ્ત થતા ગુણોથી યુક્ત હેવાના કારણે દઢ વ્રતવાળા સર્વ સાધુ ભગવંતેને નમસ્કાર કરું છું.
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy